વતનમાં મૂળિયા સાથે જો઼ડાવા ભોજનશાળા, આખું વર્ષ સાત્ત્વિક ભોજન પીરસાઈ રહ્યું છે

વતનમાં મૂળિયા સાથે જો઼ડાવા ભોજનશાળા, આખું વર્ષ સાત્ત્વિક ભોજન પીરસાઈ રહ્યું છે

રાજસ્થાનના ઝાલોરના સરત (અમરસર) ગામમાં સવારે 11 વાગે શ્રી કલ્યાણ જૈન ભોજનશાળામાં પાંચ લોકો ભોજન બનાવવા અને ટિફિન તૈયાર કરી રહ્યા છે. કેટલાક ભોજન પણ કરી રહ્યા છે, તો કેટલાક આવવાના છે. બાકીના 25-30 ઘરમાં ટિફિન પણ જશે. અહીંનો માહોલ કોઇ રેસ્ટોરન્ટના બદલે ઘર જેવો લાગે છે.

આ ભોજનશાળા ગામમાંથી બહાર જઇને વસેલા એક જૈન પરિવારની મદદથી આખું વર્ષ ચાલે છે. જ્યારે પણ લોકો બહારથી થોડા દિવસ આવીને અહીં રહે છે, તો તેમને સહેલાઇથી અહીં ભોજન મળી જાય છે. ભોજન પણ ઘર જેવું, બિલકુલ સાત્વિક. રૂ. 50માં ટિફિન મળે છે, જેમાં બે લોકો ભોજન કરી કે છે. ભોજનશાળામાં બેસીને જમો તો પ્રતિ વ્યક્તિ ફક્ત રૂ. 30. આ ગામમાં 370 પરિવાર છે, જે હવે દેશદુનિયામાં ફેલાયેલા છે. આ ભોજનશાળાના મેનેજર ડુંગરમલ રાવલ કહે છે કે, અહીં આવકમાં જે નુકસાન થાય છે, તે તમામ પરિવાર સમાન યોગદાન આપીને પૂરું કરી દે છે. ગયા વર્ષે તમામ પરિવારે રૂ. 2300 જમા કરાવ્યા હતા. એટલે કે સંપૂર્ણપણે નો પ્રોફિટ ધોરણે ભોજનશાળા ચાલે છે.

અહીં ફક્ત આ ગામમાં જ નહીં, પરંતુ ઝાલોર, જોધપુર અને બાડમેરના અનેક ગામમાં આ મોડેલ હેઠળ ભોજનશાળાઓ કાર્યરત છે. જોધપુરના તિંવરી ગામમાં એક હજારથી પરિવાર બહાર વસ્યા છે, જ્યારે અહીં ફક્ત 17 પરિવાર છે. અહીં ભોજનશાળા નથી પણ અહીં રહેતા પરિવારોએ ભોજનની તારીખો નક્કી કરી છે. જેમ કે, જૈન મુનિઓના આગમન વખતે મહિનાની 15 અને 17 તારીખે કોઇ અહીં આવે તો સગતમલ જૈનના ઘરે ભોજન કરે છે. આ તમામ ભોજનશાળામાં ભોજન માટે એક જ શરત છે કે, અહીં આવતા પહેલા જાણ કરવી પડે છે. આ પ્રકારની ભોજનશાળાના કારણે થોડા લોકોને રોજગારી પણ મળી જાય છે.

જૈનો સિવાયના લોકોને પણ ભોજન કરાવાય છેઃ અહીં થોડા પણ જૈન પરિવાર ધરાવતા તમામ ગામમાં આવી ભોજનશાળાઓ છે. બાડમેરના કરમાવાસમાં 80 જૈન પરિવાર છે, જેમાંથી માંડ બે-ત્રણ ઘરમાં લોકો હે છે. અહીં દર વર્ષે એક જ પરિવાર ખર્ચ ઉપાડે છે.

મુંબઇ રહેતા ગામના કનક ભણસાળી કહે છે કે, અમે જૈન પરિવારો સિવાય ગામના ડૉક્ટર, કમ્પાઉન્ડરને પણ ભોજન મોકલીએ છીએ. સમદડીમાં પણ આવી વ્યવસ્થા છે. બાડમેરના જ ખંડપમાં સંપતરાજ ધોકાનો પરિવાર બેલ્લારી રહે છે, પરંતુ તેઓ અહીં રહે છે. અહીં ભોજનશાળા હોવાથી પરિવારને તેમના ભોજનની ચિંતા નથી. જોધપુરના ધુંધાડામાં 120 જૈન પરિવાર બહાર છે, જેમના વાર્ષિક રૂ. 2500ના યોગદાનથી ભોજનશાળા ચાલે છે. અહીં ફક્ત રૂ. 20માં ભોજન કરી શકાય છે. અહીં જૈન સાધુ-સંતો ગામમાં આવે ત્યારે અહીં આવનારા લોકોની સંખ્યા વધે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow