મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ કર્ણાટકના 865 ગામ પર દાવો કર્યો

મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ કર્ણાટકના 865 ગામ પર દાવો કર્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની દરમિયાનગીરી પછી પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સરહદ વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. કર્ણાટક વિધાનસભા પછી હવે મહારાષ્ટ્ર વિધાનસભા અને પરિષદે કર્ણાટકના 865 મરાઠીભાષી ગામ અને બેલગવાી સહિત કેટલાક શહેરોને તેમના રાજ્યમાં ભેળી દેવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

આ પ્રસ્તાવમાં કારવાર, નિપાની, બિદર અને ભલકી શહેરના નામ પણ છે. આ મામલો ગરમાયા પછી ગૃહ મંત્રીએ બંને રાજ્ય વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારે બંને રાજ્યે કહ્યું હતું કે, આ વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું. કર્ણાટકમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન અહીં રાજકીય પક્ષો સરહદ વિવાદનો લાભ ખાટવા તેમજ તે વિવાદથી થતા નુકસાનથી બચવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

આગામી વર્ષે કર્ણાટકની ચૂંટણી સુધી મામલો વધુ ભડકે તેવી શક્યતા
મહારાષ્ટ્રના બંને ગૃહમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રસ્તાવ રજૂ કરતા કર્ણાટક સરકાર પર આરોપ મૂક્યો હતો કે, ‘કર્ણાટકે વિધાનસભામાં જાણીજોઇને આ મુદ્દે પ્રસ્તાવ પસાર કરીને વિવાદ ભડકાવ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં આ મુદ્દે વધુ વિવાદ નહીં કરવા માટે પણ બંને રાજ્ય સંમત થયા હતા, પરંતુ કર્ણાટકે તેનો પણ ભંગ કર્યો છે.’ ગયા અઠવાડિયે કર્ણાટક વિધાનસભાએ પ્રસ્તાવ પસાર કરીને એક ઇંચ જમીન પણ પાડોશી રાજ્યને નહીં આપવાનો સંકલ્પ કર્યો હતો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow