બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવાનું રાજકીય કાવતરું

બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવાનું રાજકીય કાવતરું

બાંગ્લાદેશમાં 2024માં થનારી ચૂંટણીને લઈ રાજકીય અખાડો તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં હિન્દુઓ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ખાલિદા જિયાનું નેતૃત્વ ધરાવતી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)એ રેલીમાં લાખો લોકોની ભીડ એકઠી કરીને પ્રધાનમંત્રી શેખ હસીનાની સત્તાને સીધો પડકાર આપી 16 જાન્યુઆરીથી આંદોલનની ચીમકી આપી છે. ઉપરાંત તે કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામીને સાથે લઈને હિન્દુઓ વિરુદ્ધ નફરતની ભાવના ભડકાવી રહી છે.

બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષી બીએનપીની સહયોગી પાર્ટી જમાત-એ-ઈસ્લામી છે. દરેક રેલીમાં બીએનપીના નરુલ હક નૂર પીએમ શેખ હસીના પર નિશાન સાધતા હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવે છે અને ભડકાઉ વાતો કરી રહ્યાં છે. બાંગ્લાદેશ ગોનો અધિકાર પરિષદના સંયુક્ત સંયોજક અને નુરુલ હક નૂરના સહયોગી તારિક રહેમાને તો હિન્દુ ધાર્મિક ગ્રંથોને અશ્લીલતા સાથે જોડી દીધા. નૂરે કહ્યું કે અમને હિન્દુઓ પ્રત્યે ખૂબ નફરત છે.

કટ્ટરપંથીઓની જમાત પહેલાં પણ ચટગામ અને નરૈલ સહપારામાં દુર્ગાપૂજા ઉત્સવ દરમિયાન દંગા કરાવી ચૂકી છે. જેમાં ઘણા આરોપીઓ વિરુદ્ધ કેસો તો નોંધાયા પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. બાંગ્લાદેશના માનવાધિકાર આયોગને હજુ સુધી આ કેસોના રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બાંગ્લાદેશમાં હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow