બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવાનું રાજકીય કાવતરું

બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવાનું રાજકીય કાવતરું

બાંગ્લાદેશમાં 2024માં થનારી ચૂંટણીને લઈ રાજકીય અખાડો તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં હિન્દુઓ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ખાલિદા જિયાનું નેતૃત્વ ધરાવતી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)એ રેલીમાં લાખો લોકોની ભીડ એકઠી કરીને પ્રધાનમંત્રી શેખ હસીનાની સત્તાને સીધો પડકાર આપી 16 જાન્યુઆરીથી આંદોલનની ચીમકી આપી છે. ઉપરાંત તે કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામીને સાથે લઈને હિન્દુઓ વિરુદ્ધ નફરતની ભાવના ભડકાવી રહી છે.

બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષી બીએનપીની સહયોગી પાર્ટી જમાત-એ-ઈસ્લામી છે. દરેક રેલીમાં બીએનપીના નરુલ હક નૂર પીએમ શેખ હસીના પર નિશાન સાધતા હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવે છે અને ભડકાઉ વાતો કરી રહ્યાં છે. બાંગ્લાદેશ ગોનો અધિકાર પરિષદના સંયુક્ત સંયોજક અને નુરુલ હક નૂરના સહયોગી તારિક રહેમાને તો હિન્દુ ધાર્મિક ગ્રંથોને અશ્લીલતા સાથે જોડી દીધા. નૂરે કહ્યું કે અમને હિન્દુઓ પ્રત્યે ખૂબ નફરત છે.

કટ્ટરપંથીઓની જમાત પહેલાં પણ ચટગામ અને નરૈલ સહપારામાં દુર્ગાપૂજા ઉત્સવ દરમિયાન દંગા કરાવી ચૂકી છે. જેમાં ઘણા આરોપીઓ વિરુદ્ધ કેસો તો નોંધાયા પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. બાંગ્લાદેશના માનવાધિકાર આયોગને હજુ સુધી આ કેસોના રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બાંગ્લાદેશમાં હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow