સૌથી લાંબા બ્રિજના ઉદ્ધાટન પહેલાં જ ઉઘરાણાંનો તખ્તો

સૌથી લાંબા બ્રિજના ઉદ્ધાટન પહેલાં જ ઉઘરાણાંનો તખ્તો

છેલ્લાં 5 વર્ષથી નિર્માણ પામી રહેલો શહેરનો સૌથી લાંબો ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો બ્રિજ આગામી 20મી તારીખે તૈયાર થઈ જશે અને ગણતરીના દિવસોમાં જ તેનું લોકાર્પણ કરાશે. બીજી તરફ વડોદરાની પ્રજાએ આપેલા ખોબેખોબા મત માટે ભાજપ શાસિત મહાનગરપાલિકાએ પ્રજાને નવા બનેલા બ્રિજ નીચે નાણાં ખર્ચી પાર્કિંગ કરવાની ‘ભેટ’ આપી છે. હજી ગેંડા સર્કલ-મનીષા સર્કલ સુધીના બ્રિજનું કામ અધૂરું છે ત્યાં તો તેની નીચે પે એન્ડ પાર્કિંગ માટે પાલિકાએ ઇજારો આપવાનું નક્કી કર્યું છે.

શહેરમાં 2017માં ગેંડા સર્કલથી મનીષા ચોકડી તરફના બ્રિજની કામગીરી શરૂ કરાઈ હતી, જે 5 વર્ષ બાદ આખરે તૈયાર થઈ રહ્યો છે. મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું કે, બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે. 20 ડિસેમ્બર સુધી બ્રિજ તૈયાર થઈ જશે અને ગણતરીના દિવસોમાં લોકાર્પણ કરાશે. સ્થાનિક સમસ્યાઓ અને ધારાસભ્યો સામે નારાજગી છતાં પ્રજાએ ભાજપને ખોબે ખોબા મત આપ્યા છે.

બ્રિજ શરૂ થતાં પાર્કિંગ માટે નાગરિકોને નાણાં ચૂકવવાં પડશે
લોકોએ 5 ઉમેદવારોને જંગી લીડથી જીતાડ્યા છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ ભાજપ શાસિત પાલિકાએ શહેરીજનોને ‘ભેટ’ આપી છે. જેમાં બ્રિજ નીચે પાર્કિંગ માટે ઇજારો આપવાનું નક્કી કર્યું છે. બ્રિજનું લોકાર્પણ 25મી ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે. પાલિકાએ બ્રિજ નીચે વાહન મૂકનારા નાગરિકો પાસેથી પાર્કિંગનાં નાણાં ઉઘરાવવા ઇજારો આપવાની છે. પાલિકાની જાહેરાતમાં 1 વર્ષ માટે પે એન્ડ પાર્કિંગનો ઇજારો આપવાની હરાજીનું આયોજન કર્યું છે. જેમાં 6.51 લાખની અપસેટ વેલ્યુ અને 13.03 લાખ ડિપોઝિટ રખાઈ છે. બ્રિજ શરૂ થતાં પાર્કિંગ માટે નાગરિકોને નાણાં ચૂકવવાં પડશે.

Read more

પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ભાગ્યશાળી છે કે તેમને PM તરીકે મોદી મળ્યા છે. તેઓ કોઈના દબા

By Gujaratnow
રશિયન રાષ્ટ્રપતિ પુતિન 7 મંત્રીઓ સાથે ભારત પહોંચ્યા

રશિયન રાષ્ટ્રપતિ પુતિન 7 મંત્રીઓ સાથે ભારત પહોંચ્યા

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે સાંજે બે દિવસના ભારત પ્રવાસે પહોંચ્યા. તેમની સાથે 7 મંત્રીઓનું મોટું પ્રતિનિધિમંડળ પણ આવ્

By Gujaratnow
TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow