હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો, હળદરવાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે મોટા ફાયદા

હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો, હળદરવાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે મોટા ફાયદા

હળદરવાળું દૂધ અકસીર દવા

તમારા ઘરમાં દાદી-નાનીના મોંઢેથી વારંવાર સાંભળ્યું હશે કે હળદરવાળુ દૂધ દરેક બિમારીની દવા છે. ઔષધિય ગુણોથી ભરપૂર આ દવા ખરેખર ફાયદાકારક છે. હળદરવાળા દૂધમાં અનેક બિમારીઓ સામે લડવાની તાકાત હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ જો તેમાં ગોળ મિલાવી દેવામાં આવે તો તેનાથી મળતા ફાયદા ડબલ થાય છે. આ દૂધ શરીરની ઈમ્યુનિટી વધારીને અનેક બિમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. આવો જાણીએ કે હળદરવાળુ દૂધ પીવાથી કયા ફાયદા થાય છે.

દુ:ખાવો દૂર કરે

હળદરમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ દુ:ખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે નબળા હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે. જેનાથી સ્નાયુમાં દુ:ખાવાની પરેશાની દૂર થાય છે.

શરીર મજબૂત બનાવો

જો તમારું શરીર નબળુ છે તો હળદરવાળું દૂધ પીવુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. હળદર, ગોળ અને દૂધમાં રહેલા પોષક તત્વ શરીરને મજબૂત બનાવવાનુ કામ કરે છે. આ દૂધન સેવન જો દરરોજ કરીએ તો બધી નબળાઈ દૂર થઇ જશે.

પાચનમાં ફાયદાકારક

હળદર અને ગોળવાળુ દૂધ પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે. ગોળમાં રહેલા પોષક તત્વ પાચનની સમસ્યાને દૂર કરવાનુ કામ કરે છે. દૂધમાં આ વસ્તુઓને મિલાવીને પીવાથી અપચો અને કબજીયાત થતી નથી. ગોળ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. ગોળ અને હળદરવાળુ દૂધ પીવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow