હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો, હળદરવાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે મોટા ફાયદા

હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો, હળદરવાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે મોટા ફાયદા

હળદરવાળું દૂધ અકસીર દવા

તમારા ઘરમાં દાદી-નાનીના મોંઢેથી વારંવાર સાંભળ્યું હશે કે હળદરવાળુ દૂધ દરેક બિમારીની દવા છે. ઔષધિય ગુણોથી ભરપૂર આ દવા ખરેખર ફાયદાકારક છે. હળદરવાળા દૂધમાં અનેક બિમારીઓ સામે લડવાની તાકાત હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ જો તેમાં ગોળ મિલાવી દેવામાં આવે તો તેનાથી મળતા ફાયદા ડબલ થાય છે. આ દૂધ શરીરની ઈમ્યુનિટી વધારીને અનેક બિમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. આવો જાણીએ કે હળદરવાળુ દૂધ પીવાથી કયા ફાયદા થાય છે.

દુ:ખાવો દૂર કરે

હળદરમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ દુ:ખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે નબળા હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે. જેનાથી સ્નાયુમાં દુ:ખાવાની પરેશાની દૂર થાય છે.

શરીર મજબૂત બનાવો

જો તમારું શરીર નબળુ છે તો હળદરવાળું દૂધ પીવુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. હળદર, ગોળ અને દૂધમાં રહેલા પોષક તત્વ શરીરને મજબૂત બનાવવાનુ કામ કરે છે. આ દૂધન સેવન જો દરરોજ કરીએ તો બધી નબળાઈ દૂર થઇ જશે.

પાચનમાં ફાયદાકારક

હળદર અને ગોળવાળુ દૂધ પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે. ગોળમાં રહેલા પોષક તત્વ પાચનની સમસ્યાને દૂર કરવાનુ કામ કરે છે. દૂધમાં આ વસ્તુઓને મિલાવીને પીવાથી અપચો અને કબજીયાત થતી નથી. ગોળ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. ગોળ અને હળદરવાળુ દૂધ પીવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow