હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો, હળદરવાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે મોટા ફાયદા

હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો, હળદરવાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે મોટા ફાયદા

હળદરવાળું દૂધ અકસીર દવા

તમારા ઘરમાં દાદી-નાનીના મોંઢેથી વારંવાર સાંભળ્યું હશે કે હળદરવાળુ દૂધ દરેક બિમારીની દવા છે. ઔષધિય ગુણોથી ભરપૂર આ દવા ખરેખર ફાયદાકારક છે. હળદરવાળા દૂધમાં અનેક બિમારીઓ સામે લડવાની તાકાત હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ જો તેમાં ગોળ મિલાવી દેવામાં આવે તો તેનાથી મળતા ફાયદા ડબલ થાય છે. આ દૂધ શરીરની ઈમ્યુનિટી વધારીને અનેક બિમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. આવો જાણીએ કે હળદરવાળુ દૂધ પીવાથી કયા ફાયદા થાય છે.

દુ:ખાવો દૂર કરે

હળદરમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ દુ:ખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે નબળા હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે. જેનાથી સ્નાયુમાં દુ:ખાવાની પરેશાની દૂર થાય છે.

શરીર મજબૂત બનાવો

જો તમારું શરીર નબળુ છે તો હળદરવાળું દૂધ પીવુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. હળદર, ગોળ અને દૂધમાં રહેલા પોષક તત્વ શરીરને મજબૂત બનાવવાનુ કામ કરે છે. આ દૂધન સેવન જો દરરોજ કરીએ તો બધી નબળાઈ દૂર થઇ જશે.

પાચનમાં ફાયદાકારક

હળદર અને ગોળવાળુ દૂધ પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે. ગોળમાં રહેલા પોષક તત્વ પાચનની સમસ્યાને દૂર કરવાનુ કામ કરે છે. દૂધમાં આ વસ્તુઓને મિલાવીને પીવાથી અપચો અને કબજીયાત થતી નથી. ગોળ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. ગોળ અને હળદરવાળુ દૂધ પીવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow