સિવિલની બીમારીનો કાયમી ઈલાજ શોધાયો

સિવિલની બીમારીનો કાયમી ઈલાજ શોધાયો

રાજકોટ સિવિલ હોસ્પિટલ પોતાના અંધેર અને અણઘડ વહીવટ માટે ગુજરાતભરમાં કુખ્યાત છે. તબીબી અધિક્ષક જાણે માત્ર ફાઈલો પર સહી જ કરી રહ્યા છે અને દર્દીઓની હાલાકી અને તેમની ચીસો કાને અને આંખે આડી આવતી જ ન હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. આ અંધેર વહીવટનો સૌથી સારો વિકલ્પ સાંસદ રામભાઈ મોકરિયાએ શોધ્યો છે અને તે મામલે તેઓએ સ્થાનિક વહીવટી તંત્રને સૂચન તો કર્યું જ છે સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગને પણ જાણ કરી ઝડપથી પગલાં લેવાય તે માટે પ્રક્રિયા શરૂ કરી છે.

સાંસદે જણાવ્યું હતું કે, સિવિલમાં સ્કિન બેંકના લોકાર્પણ સમયે વિવિધ વિભાગના અધિકારીઓ એકઠા થયા હતા તેથી સિવિલમાં સુધાર લાવવા માટે ચર્ચા થઈ હતી. જેને લઈને સૂચન કર્યું છે કે હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશન માટે ડેપ્યુટી ક્લેક્ટર કક્ષાની વ્યક્તિની વહીવટદાર તરીકે નિમણૂક થવી જોઇએ. આ નિમણૂકથી નાનામાં નાનીથી માંડી મોટામાં મોટી વહીવટી બાબતો, ક્ષતિઓ નિવારી શકાશે તેમજ સરકારના અન્ય વિભાગો સાથે પણ સંકલન કરી દર્દીઓ માટે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ આપી શકાશે.

આ સૂચન આપતા અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે, અમદાવાદ અને વડોદરામાં આ જ રીતે વહીવટદારો નિમાયેલા છે. આ નિમણૂક માટે ખાસ જગ્યા ઊભી કરવાની હોવાથી આ મામલે રાજ્યના આરોગ્ય વિભાગને લેખિતમાં સૂચન મોકલીને સરકાર તરફથી ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસો કરવામાં આવશે.

પાર્કિંગ મનપા આપે, પોલીસ મુકાવો, અધિકારીઓને અપાઈ સૂચના
સાંસદે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને જણાવ્યું હતું કે, હોસ્પિટલ ચોક બ્રિજની નીચે મનપા પે એન્ડ પાર્ક માટે વિચારી રહી છે તેને બદલે સિવિલ હોસ્પિટલના પાર્કિંગ માટે આપે જેથી કેમ્પસમાં જગ્યા મળે અને લોકો હેરાન ન થાય. ઉપરાંત પોલીસ કમિશનરને સિવિલની પોલીસ ચોકીમાં વધુ 3થી 4 પોલીસ કર્મીની નિમણૂક કરી તેમને ટ્રાફિક સંચાલન તેમજ અસામાજિક તત્ત્વોને દૂર કરવાનું કામ સોંપવું જોઈએ.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow