સિવિલની બીમારીનો કાયમી ઈલાજ શોધાયો

સિવિલની બીમારીનો કાયમી ઈલાજ શોધાયો

રાજકોટ સિવિલ હોસ્પિટલ પોતાના અંધેર અને અણઘડ વહીવટ માટે ગુજરાતભરમાં કુખ્યાત છે. તબીબી અધિક્ષક જાણે માત્ર ફાઈલો પર સહી જ કરી રહ્યા છે અને દર્દીઓની હાલાકી અને તેમની ચીસો કાને અને આંખે આડી આવતી જ ન હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. આ અંધેર વહીવટનો સૌથી સારો વિકલ્પ સાંસદ રામભાઈ મોકરિયાએ શોધ્યો છે અને તે મામલે તેઓએ સ્થાનિક વહીવટી તંત્રને સૂચન તો કર્યું જ છે સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગને પણ જાણ કરી ઝડપથી પગલાં લેવાય તે માટે પ્રક્રિયા શરૂ કરી છે.

સાંસદે જણાવ્યું હતું કે, સિવિલમાં સ્કિન બેંકના લોકાર્પણ સમયે વિવિધ વિભાગના અધિકારીઓ એકઠા થયા હતા તેથી સિવિલમાં સુધાર લાવવા માટે ચર્ચા થઈ હતી. જેને લઈને સૂચન કર્યું છે કે હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશન માટે ડેપ્યુટી ક્લેક્ટર કક્ષાની વ્યક્તિની વહીવટદાર તરીકે નિમણૂક થવી જોઇએ. આ નિમણૂકથી નાનામાં નાનીથી માંડી મોટામાં મોટી વહીવટી બાબતો, ક્ષતિઓ નિવારી શકાશે તેમજ સરકારના અન્ય વિભાગો સાથે પણ સંકલન કરી દર્દીઓ માટે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ આપી શકાશે.

આ સૂચન આપતા અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે, અમદાવાદ અને વડોદરામાં આ જ રીતે વહીવટદારો નિમાયેલા છે. આ નિમણૂક માટે ખાસ જગ્યા ઊભી કરવાની હોવાથી આ મામલે રાજ્યના આરોગ્ય વિભાગને લેખિતમાં સૂચન મોકલીને સરકાર તરફથી ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસો કરવામાં આવશે.

પાર્કિંગ મનપા આપે, પોલીસ મુકાવો, અધિકારીઓને અપાઈ સૂચના
સાંસદે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને જણાવ્યું હતું કે, હોસ્પિટલ ચોક બ્રિજની નીચે મનપા પે એન્ડ પાર્ક માટે વિચારી રહી છે તેને બદલે સિવિલ હોસ્પિટલના પાર્કિંગ માટે આપે જેથી કેમ્પસમાં જગ્યા મળે અને લોકો હેરાન ન થાય. ઉપરાંત પોલીસ કમિશનરને સિવિલની પોલીસ ચોકીમાં વધુ 3થી 4 પોલીસ કર્મીની નિમણૂક કરી તેમને ટ્રાફિક સંચાલન તેમજ અસામાજિક તત્ત્વોને દૂર કરવાનું કામ સોંપવું જોઈએ.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow