દાહોદથી મજૂરી માટે જતી માતા કોઇ પણ સ્થળેથી રસીકરણ કરાવી શકશે

દાહોદથી મજૂરી માટે જતી માતા કોઇ પણ સ્થળેથી રસીકરણ કરાવી શકશે

દાહોદ જિલ્લામાં સ્થળાંતરનું પ્રમાણ ઘણું મોટુ છે. બાળકના જન્મ બાદ તેને સાથે લઇને પરગામોમાં જવાની મજબુરી હોવાથી અહીંની માતા અને તેના બાળકોને રસીકરણ સહિતની બાબતો માટે ખુબ જ પરેશાની વેઠવી પડતી હતી. જોકે, કેટલીક માતા અને બાળકોનું પુરૂ રસીકરણ પણ થતુ ન હતું.

દેશમાં 8 ઓગસ્ટથી મિશન ઇન્દ્રધનુષનો પ્રારંભ થશે
​​​​​​​ત્યારે હવે માતા અને બાળકનું દેશના કોઇ પણ ખુણેથી રસીકરણ શક્ય બનશે. દેશમાં 8 ઓગસ્ટથી મિશન ઇન્દ્રધનુષનો પ્રારંભ થશે. તેમાં સગર્ભા માતાઓ અને 5 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. પહેલાં મિશનમાં 2 વર્ષ સુધીના બાળકો કવર થતં હતા, આ વખતે મિશન ઇન્દ્રઘનુષની સૌથી ખાસ વાત એ રહેશે કે રસીકરણ યૂવીન પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે.

દેશના 65 જિલ્લાઓમાં ટેસ્ટિંગ માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ​​​​​​​
આ પોર્ટલને નિયમિત રસીકરણ માટે તૈયાર કરવામાં આવ્યુ છે. જાન્યુઆરીમાં દેશના 65 જિલ્લાઓમાં ટેસ્ટિંગ માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. દાહોદ આ જિલ્લાઓમાં શામેલ હતો અને આ માટે કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. દાહોદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 67 હજાર બાળકોનું રસીકરણ થાય છે. યૂવીન પોર્ટલમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી ખબર પડી જશે કે બાળકને કયા પ્રકારનું રસીકરણ થયુ છે અને કઇ રસી મુકવાની બાકી છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow