બેડરૂમમાં આ જગ્યાએ ન લગાવવો જોઈએ અરીસો, પ્રેમ સંબંધમાં આવી શકે છે ખટાશ

બેડરૂમમાં આ જગ્યાએ ન લગાવવો જોઈએ અરીસો, પ્રેમ સંબંધમાં આવી શકે છે ખટાશ

બેડરૂમમાં અરીસો લગાવવાના સાચા નિયમ

આપણા બધાના ઘરમાં અરીસો જરૂર હોય છે. ક્યારેક સજાવટ માટે તો ક્યારેક તૈયાર થવા માટે. મોટાભાગના લોકો અરીસાને બેડરૂમમાં જ લગાવવાનુ પસંદ કરે છે, પરંતુ બેડરૂમમાં અરીસો લગાવવો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. કારણકે તમે તેને પલંગની સામે મુકી દો છો તો તેની નકારાત્મક અસર તેના આખા જીવન પર પડી શકે છે. જાણો બેડરૂમમાં અરીસો લગાવવાના સાચા નિયમ.

પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ

શયનકક્ષ અથવા બેડરૂમમાં તમે આમ તો ક્યાય પણ અરીસો લગાવવી શકો છો, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડની બરોબર સામે અરીસો ના લગાવવો જોઈએ. કારણકે બેડની બરોબર સામે કાચ લગાવ્યો તો સવારે ઉઠતા જ તે દેખાશે, જે અશુભ છે. કહેવાય છે કે સવારે ઉઠતા જ સૌથી પહેલા પોતાની હથેળીઓમાં ભગવાનનુ સ્મરણ કરવુ જોઈએ. જેથી બેડની સામે કાચ ના લગાવશો. આ ઉપરાંત આમ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં પણ ખટાસ આવી જાય છે અને આ સાથે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની પણ ભોગવવી પડી શકે છે.

કરો આ ઉપાય

પરંતુ તમારા બેડરૂમમાં લગાવેલો આ કાચ ફિક્સ છે અને તમે તેને હટાવી શકતા નથી તો તેના પર રાત્રે ઊંઘતા પહેલા કપડા ઢાંકી દો. એક બીજી વાત કે તમે બેડની સામેવાળી જગ્યાએ એટલેકે તે દિશા, જે તમને ઉઠતા જ સૌથી પહેલા દેખાય છે, તેને છોડીને તમે બેડરૂમની કોઈ પણ દિશામાં અરીસો લગાવી શકો છો.

અચાનક કેમ તુટી જાય છે અરીસો

આ ઉપરાંત તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે કોઈ કાચ અચાનક તુટી જાય છે તો તેનો અર્થ છે કે ઘરમાં આવેલી કોઈ મોટી મુશ્કેલી આ અરીસા પર ટળી ગઇ છે. તેથી આ કાચને મોડુ કર્યા વગર ઘરની બહાર ફેંકી દેવા જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow