ગોંડલના ગુંદાસરામાં પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

ગોંડલના ગુંદાસરામાં પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે એક સોસાયટીમાં રહેતા અને શાપર વેરાવળ ખાતે આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતિય શખ્સના ગળા પર છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવ્યાની જાણ થતાં તાલુકા પોલીસ અને એલસીબી કાફલો ધસી ગયો હતો. શ્રમિક જ્યાં રહેતો હતો ત્યાં રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગતાં આસપાસના લોકોને શંકા પડી હતી અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે રૂમ ખોલીને જોતાં શ્રમિકની લાશ પડી હતી. ગળા પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા હતા.

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે ધર્મજીવન સોસાયટીમાં શેરી નંબર બેમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા અજાણ્યા બિહારી યુવાનની કોઈ શખ્સે ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા નીપજાવી દીધી હતી. આ ઘટનાની જાણ ડીવાયએસપી, તાલુકા પોલીસ, એલસીબીને થતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow