અમદાવાદમાં રિવરફ્રન્ટમાં એક પુરુષ અને યુવકે આત્મહત્યા કરી લીધી

અમદાવાદમાં રિવરફ્રન્ટમાં એક પુરુષ અને યુવકે આત્મહત્યા કરી લીધી

મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આવેલી મણિલાલની ચાલીમાં રહેતા વિશાલ રામુભાઈ પટણી (ઉં. 20) એ તા. 22 નવેમ્બરના મંગળવારે સાંજે 6 વાગ્યા પહેલાં રિવરફ્રન્ટ વોક-વે પરથી નદીમાં પડતું મૂકી દીધું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ વિશાલનો મૃતદેહ બહાર કાઢી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને સોંપી દીધો હતો.

પોલીસે ગુનો નોંધી વિશાલે કયા કારણથી આત્મહત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ચાંદખેડા જનતાનગર નિગમનગરમાં રહેતા કનૈયાલાલ લાલશંકર સાકરિયા (ઉં. 52)એ ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ ખાતે એસિડ પી લીધું હતું. જેથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડીરાત્રે કનૈયાલાલનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow