અમદાવાદમાં રિવરફ્રન્ટમાં એક પુરુષ અને યુવકે આત્મહત્યા કરી લીધી

અમદાવાદમાં રિવરફ્રન્ટમાં એક પુરુષ અને યુવકે આત્મહત્યા કરી લીધી

મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આવેલી મણિલાલની ચાલીમાં રહેતા વિશાલ રામુભાઈ પટણી (ઉં. 20) એ તા. 22 નવેમ્બરના મંગળવારે સાંજે 6 વાગ્યા પહેલાં રિવરફ્રન્ટ વોક-વે પરથી નદીમાં પડતું મૂકી દીધું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ વિશાલનો મૃતદેહ બહાર કાઢી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને સોંપી દીધો હતો.

પોલીસે ગુનો નોંધી વિશાલે કયા કારણથી આત્મહત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ચાંદખેડા જનતાનગર નિગમનગરમાં રહેતા કનૈયાલાલ લાલશંકર સાકરિયા (ઉં. 52)એ ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ ખાતે એસિડ પી લીધું હતું. જેથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડીરાત્રે કનૈયાલાલનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow