અમદાવાદમાં રિવરફ્રન્ટમાં એક પુરુષ અને યુવકે આત્મહત્યા કરી લીધી

અમદાવાદમાં રિવરફ્રન્ટમાં એક પુરુષ અને યુવકે આત્મહત્યા કરી લીધી

મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આવેલી મણિલાલની ચાલીમાં રહેતા વિશાલ રામુભાઈ પટણી (ઉં. 20) એ તા. 22 નવેમ્બરના મંગળવારે સાંજે 6 વાગ્યા પહેલાં રિવરફ્રન્ટ વોક-વે પરથી નદીમાં પડતું મૂકી દીધું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ વિશાલનો મૃતદેહ બહાર કાઢી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને સોંપી દીધો હતો.

પોલીસે ગુનો નોંધી વિશાલે કયા કારણથી આત્મહત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ચાંદખેડા જનતાનગર નિગમનગરમાં રહેતા કનૈયાલાલ લાલશંકર સાકરિયા (ઉં. 52)એ ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ ખાતે એસિડ પી લીધું હતું. જેથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડીરાત્રે કનૈયાલાલનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow