માતા-પિતાનો ઠપકો નહીં પણ પ્રેમભરેલા સ્પર્શની જરૂર

માતા-પિતાનો ઠપકો નહીં પણ પ્રેમભરેલા સ્પર્શની જરૂર

કેટલીક વખત ડર, ચિંતા અને પીડા જેવાં કારણોથી બાળકો જાગતાં રહે છે. કેટલીક વખત દિમાગમાં એક પછી એક વિચારોનો સિલસિલો ચાલતો રહે છે. ઊંઘ તેમનાથી ખૂબ દૂર રહે છે. આવી સ્થિતિમાં બાળકો ખુબ વધારે થાકેલા હોવા છતાં ઊંઘી શકતા નથી.

આ વિરોધાભાસી સ્થિતિ હોય છે. ઊંઘ આવતી હોય છે પરંતુ ઊંઘી શકતાં નથી. હકીકતમાં આ સંકટમાં અસ્તિત્વને લઇને શરીરને સક્રિય રાખવાની જવાબી પ્રતિક્રિયા છે. પરંતુ ઊંઘ માટે દિમાગમાં શાંતિ અને સુકુનની જરૂર હોય છે. આવી સ્થિતિમાં બાળકોનાં માતા-પિતા માટે તેમની ભાવનાઓને સમજીને તેમની સાથે વર્તન કરવાની જરૂર હોય છે.

આવી સ્થિતિમાં ઠપકો અને આદેશ આપવાથી બાળકો ઊંઘતાં નથી. પરંતુ પ્રેમભરેલા સ્પર્શ અને પ્રેમભરેલી વાણી તેમના માટે સારવાર તરીકે કામ કરે છે. ભાવનાત્મક થાક તણાવનું જ એક રૂપ છે. જે બાળકો અને પુખ્યવયના લોકો બંનેની ઊંઘ હરામ કરીને તેમને આક્રમક બનાવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ ઊંઘનું દબાણ જેટલું વધારે રહેશે ઊંઘ પણ સરળ રીતે આવશે. એટલે કે બિસ્તર પર જતાંની સાથે જ ઊંઘ આવી જશે. ઇચ્છા ન હોવા છતાં ઊંઘ આવી જશે.

દિમાગમાં એડિનોસાયન્સ કેમિકલ બનવાથી આવું થાય છે. આ એક પ્રકારનું પ્રોટીન છે. જે ઊંઘી ગયા બાદ દિમાગથી દૂર થઇ જાય છે. જેવા આપણે ઊઠીએ છીએ તો ફરી દિમાગમાં બનવાની શરૂઆત થઇ જાય છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow