એક કિન્નર જે ગૌશાળા ચલાવવા હાઇવે ઉપર માંગે છે ભીખ

એક કિન્નર જે ગૌશાળા ચલાવવા હાઇવે ઉપર માંગે છે ભીખ

કિન્નરોને સમાજમાં યોગ્ય માનપાન મળતું નથી પરંતુ તેમાં એક કિન્નરની એવી વાત કરવી છે કે જેનાથી સમાજના તમામ લોકોને તેમના પ્રત્યે માન સન્માન થશે. આ વાત છે ભાવનગરથી 10 કિલોમીટર દૂર સીદસર ગામ નજીક ગૌશાળા ચલાવતા કિન્નર નયના કુંવરની.

એક કિન્નરે પોતાનું જીવન ગાયો માટે સમર્પિત કરી દીધું
નયના કુંવર એક એવા વિશિષ્ટ કિન્નર છે કે તેમણે પોતાનું જીવન ગાયો માટે સમર્પિત કરી દીધું છે. દરરોજ તેઓ નારી ગામ પાસે ભાવનગર અમદાવાદ હાઇવે ઉપર વાહન ચાલકો પાસેથી 10, 15, 20, 50 રૂપિયાની ભીખ માંગે છે. તે રકમનો ઉપયોગ પોતાના જીવન માટે નહીં પરંતુ ગાયો માટે કરી રહ્યા છે. ગાયોના નિર્વાહ ઉપરાંત બીમાર, અપંગ ગાયોની દવા સેવા ચાકરી માટે આ રકમનો ઉપયોગ કરે છે.

નયના કુંવર સીદસર નજીકની પોતાની ગૌશાળામાં ગાયોની સેવા પૂજા કરે
વહેલી સવારે પ્રાતઃકાળમાં જાગીને સૌપ્રથમ નયના કુંવર સીદસર નજીકની પોતાની ગૌશાળામાં ગાયોની સેવા પૂજા કરે છે. ત્યારબાદ સીધા નારી ગામ હાઇવે ઉપર પહોંચીને વાહન ચાલકો પાસેથી ભીખ માગતા નજરે પડે છે. મધ્યાહને પોતાની ગૌશાળામાં પરત ફરીને ફરી તેમની સેવા ચાકરીમાં લાગી જાય છે. આમ તેમનું જીવન લોકો માટે પ્રેરણાદાયી છે.

મૂળ નામ દિલીપભાઈ, ગામ જમરાળા..
કિન્નર નયના કુંવર મૂળ બોટાદ નજીક જમરાળા ગામના વતની છે. તેમનું અગાઉનું નામ દિલીપભાઈ હતું. 20 વર્ષ પહેલા તેઓ ભાવનગર હીરા ઘસવાનું કામ કરવા માટે આવ્યા હતા, પરંતુ પોતાના ઘરની નજીકમાં એક ગાયને તરફડતી જોઈને પોતાનું જીવન કિન્નર સમાજને સમર્પિત કરી દીધું અને વર્ષોથી ગાયોની સેવામાં કાર્ય કરી રહ્યા છે. અત્યારે સીદસર વરતેજ હાઇવે ઉપર તેમની ગૌશાળામાં 100 જેટલી ગાયોનો નિર્વાહ થાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow