Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

ભુજના જૈન ગૃહિણીએ મુત્યુ બાદ અંગદાન દ્વારા ત્રણ અજાણી વ્યક્તિને જીવન આપ્યું

Gujaratnow1 min read
ભુજના જૈન ગૃહિણીએ મુત્યુ બાદ અંગદાન દ્વારા ત્રણ અજાણી વ્યક્તિને જીવન આપ્યું

અહિંસા તેમજ પરોપકારને વરેલા જૈન સંપ્રદાયના ભુજ સ્થિત ગૃહિણીને અકસ્માત નડતાં બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. હતભાગીના પરિવારે આ સંજોગોમાં વિકટ કહી શકાય તેવો અંગદાનનો નિર્ણય લઇને સાચા અર્થમાં જૈન ધર્મ નિભાવ્યો હતો. તેમના લિવર અને બંને કિડનીનું અંગદાન કરાયું હતું જેના થકી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું હતું તો ચક્ષુનું પણ દાન કરાતાં બે વ્યક્તિને રોશની મળશે.

સમાજને પ્રેરણાનો સંદેશો આપતા આ કિસ્સાની વિગત મુજબ સ્કૂટર પર જઇ રહેલાં ભુજના પ્રીતિબેન મોરબિયાને સોમવારે બપોરે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે અકસ્માત નડતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે તેમને નજીકની જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતાં જ્યાં તબીબોએ અન્યત્ર ખસેડવાની સલાહ આપતાં શહેરની લેવા પટેલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઇ જવાયા હતા. અહીં પણ ડોક્ટરે માથામાં થયેલી ઇજા ગંભીર પ્રકારની હોવાનું કહેતાં તાબડતોબ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલાને ખસેડાયા હતા.

Gujaratnow1 min read

Related News