ભુજના જૈન ગૃહિણીએ મુત્યુ બાદ અંગદાન દ્વારા ત્રણ અજાણી વ્યક્તિને જીવન આપ્યું

ભુજના જૈન ગૃહિણીએ મુત્યુ બાદ અંગદાન દ્વારા ત્રણ અજાણી વ્યક્તિને જીવન આપ્યું

અહિંસા તેમજ પરોપકારને વરેલા જૈન સંપ્રદાયના ભુજ સ્થિત ગૃહિણીને અકસ્માત નડતાં બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. હતભાગીના પરિવારે આ સંજોગોમાં વિકટ કહી શકાય તેવો અંગદાનનો નિર્ણય લઇને સાચા અર્થમાં જૈન ધર્મ નિભાવ્યો હતો. તેમના લિવર અને બંને કિડનીનું અંગદાન કરાયું હતું જેના થકી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું હતું તો ચક્ષુનું પણ દાન કરાતાં બે વ્યક્તિને રોશની મળશે.

સમાજને પ્રેરણાનો સંદેશો આપતા આ કિસ્સાની વિગત મુજબ સ્કૂટર પર જઇ રહેલાં ભુજના પ્રીતિબેન મોરબિયાને સોમવારે બપોરે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે અકસ્માત નડતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે તેમને નજીકની જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતાં જ્યાં તબીબોએ અન્યત્ર ખસેડવાની સલાહ આપતાં શહેરની લેવા પટેલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઇ જવાયા હતા. અહીં પણ ડોક્ટરે માથામાં થયેલી ઇજા ગંભીર પ્રકારની હોવાનું કહેતાં તાબડતોબ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલાને ખસેડાયા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow