લગ્ન મુહૂર્ત પહેલા જ સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો ક્યાં પહોંચી કિંમત

લગ્ન મુહૂર્ત પહેલા જ સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો ક્યાં પહોંચી કિંમત

સોના-ચાંદીના ભાવમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાની કિંમત 52000 રૂપિયાને પાર કરી ગઈ છે. ત્યાં જ ચાંદીના ભાવ પણ 62000ને પર ટ્રેન્ડ કરી રહ્યા છે. બીજી તરફ ઈન્ટનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

કેટલું મોંઘુ થયું સોનું અને ચાંદી?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.19 ટકાના વધારા સાથે 52210 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ થઈ રહી છે. ત્યાંજ ચાંદીની કિંમત 0.41 ટકા વધીને 62166 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર છે.

ગ્લોબલ માર્કેટમાં પણ વધ્યા સોના-ચાંદીના ભાવ
ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનાની હાલની કિંમત 2.71 ટકા વધીને 1,751.91 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. ત્યાં જ ચાંદીના હાજર ભાવ 3 ટકા વધીને 21.65 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયા છે.

હોલમાર્ક જોઈને જ કરો સોનાની ખરીદી
જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow