સોની બજારમાં 6.56 લાખનું સોનું ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો

સોની બજારમાં 6.56 લાખનું સોનું ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો

સોની બજારમાં ગોકુલ ચેમ્બરમાં પ્રમુખ આર્ટ નામની દુકાનમાંથી રવિવારે ગઠિયો યોગેશભાઇ રાણપરા નામના વેપારીની નજર સામેથી રૂ.6.56 લાખની કિંમતના 121 ગ્રામ વજનના સોનાના ઘરેણાં ચોરીને ભાગી ગયો હતો. બનાવને પગલે વેપારીએ પીછો પણ કર્યો હતો. પરંતુ ગઠીયો નાસી છૂટવામાં સફળ થયો હતો. નજર સામે જ દુકાનમાંથી સોનું ચોરી થઇ જતા વેપારી તુરંત ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને પગલે પોલીસે બનાવ સ્થળ તેમજ સોની બજારના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં એક બુકાની બાંધેલો શખ્સ કેદ થયો હતો. જેથી પોલીસે આગળના સીસીટીવી કેમેરા તપાસવાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન સોમવારે પેલેસ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાથ લાગતા તેની પૂછપરછ કરી હતી.

પૂછપરછમાં તે ભગવતીપરા મેઇન રોડ પર રહેતો રાજેશ ભૂપત વાસાણી હોવાનું જણાવ્યું હતું. ચોરી અંગેની પૂછપરછમાં શરૂઆતમાં પોતે અજાણ હોવાનું રટણ રટતા રાજેશ સામે પોલીસે આકરી પૂછપરછ કરતા તેને જ કળા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી ચોરેલા રૂ.6.56 લાખની કિંમતના સોનાના ઘરેણાં કબજે કર્યા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow