બાળકોની શરદી અને ખાંસી ભગાડવાનો મળ્યો મોટો ઉપાય, મોટાને પણ કામ લાગશે

બાળકોની શરદી અને ખાંસી ભગાડવાનો મળ્યો મોટો ઉપાય, મોટાને પણ કામ લાગશે

શિયાળામાં બાળકોની ઈમ્યુનિટી નબળી પડી જાય છે, જેના કારણે તેમને તાવ, શરદી ખાંસી ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે કાળા મરીનો પાવડર અને મધ મિક્સ કરીને તમારા બાળકોને આપવો જોઈએ જેનાથી તેમને ઘણી રાહત મળે છે.

દૂધમાં કાળા મરી અને ઘી નાખીને આપો
આ સિવાય કાળા મરી અને ઘીને એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવા માટે આપવા જોઈએ. તેનાથી શરદી ખાંસી સારી રીતે મટે છે. તેનાથી ગળામાં જામેલો કફ સરળતાથી બહાર આવી જશે.

ઓમલેટમાં કાળા મરી નાખીને ખાઈ શકાય
સાથે જ નાસ્તામાં ઓમલેટ બનાવો, કાળા મરી છાંટો જેમાં તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે તેમજ ખાંસી અને નાકમાંથી લોહી નીકળવાનું પણ બંધ થઈ જશે.

આ રેસપી બાળકો માટે જ નહીં મોટાને પણ કામ લાગશે
ઉપર જણાવેલા નુસખા ફક્ત બાળકો માટે જ નહી પરંતુ મોટા લોકોને પણ તેટલા જ કામ લાગશે. પરંતુ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરો જેથી તેની કોઈ આડઅસર ન થાય.

કાળા મરીમાં કયા કયા પોષક તત્વો
કાળા મરી વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે, વિટામિન સી અને વિટામિન બી6, થાઇમિન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow