માધાપર વિસ્તારમાં કરોડોની ગ્રાન્ટ આવી પણ વરસાદ થંભી ગયા બાદ હજુ કીચડથી ખદબદતા રોડથી નથી મળી મુક્તિ

માધાપર વિસ્તારમાં કરોડોની ગ્રાન્ટ આવી પણ વરસાદ થંભી ગયા બાદ હજુ કીચડથી ખદબદતા રોડથી નથી મળી મુક્તિ

શહેરની ભાગોળે આવેલ માધાપર વિસ્તાર આજે રાજકોટ શહેરમાં ભળ્યાને ત્રણ-ત્રણ વર્ષ જેટલો સમય થયો છતાં આ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં રહેતા પરિવારો પાયાની સુવિધાથી વંચિત છે. આ વિસ્તાર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે અને વપરાઈ છે આમ છતાં વરસાદ થંભી ગયા બાદ પણ કાદવકીચડમાં ચાલવા રહેવાસીઓ મજબૂર છે. માધાપરની બેકબોન રેસિડેન્સી અને આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં હોવાથી માત્ર બે-ત્રણ ઇંચ વરસાદમાં જ આ વિસ્તારમાં સતત અઠવાડિયા સુધી પાણીનો ભરાવો રહે છે.

વરસાદ રહી ગયાના 15 દિવસ પસાર થઇ ગયા છતાં આજુબાજુના ખાલી રહેલા પ્લોટમાં ભરાયેલું પાણી આ વિસ્તારમાં સતત વહેતું રહે છે. જે બાબતની રજૂઆત કરવા જતાં વરસાદી પાણી ઉપર પથ્થરો અને માટીની લેયર નાખી બુલડોઝર ફેરવી દેવાય છે. પરિણામે જ્યારે ફરીવાર વરસાદ પડે છે.

ત્યારે આ માટી એટલી બધી ચીકણી બની જાય છે કે આ વિસ્તારમાં રહેતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને શાળાએ આવતી જતી વખતે અહીં અકસ્માતોના બનાવો પણ વારંવાર બને છે. લોકોએ અનેક વખત ધારાસભ્ય જીતુ સોમાણી, કોર્પોરેટર નરેન્દ્રસિંહ સોલંકી, મેયર પ્રદીપ ડવ સહિતના પદાધિકારીઅો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને લેખિત ફરિયાદ કરી હોવા છતાં માત્ર સ્થળ મુલાકાત કરીને સંતોષ માની લેતા અમુક નેતાઓ હાજરી પૂરાવી જતા રહે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow