મોટી બહેને ફરવા જવાની ના કહેતા મિઝોરમની યુવતીએ ફાંસો ખાધો

મોટી બહેને ફરવા જવાની ના કહેતા મિઝોરમની યુવતીએ ફાંસો ખાધો

શહેરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેવાની ઘટના સમયાંતરે બને છે. ત્યારે વધુ બે ઘટના બની હતી, જેમાં છોટુનગરમાં રહેતી મિઝોરમની યુવતીને તેની મોટી બહેને ફરવા જવાની ના કહેતા યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી, તેમજ ઘંટેશ્વરની આશાપુરા રેસિડેન્સીમાં રહેતા યુવકે પણ આપઘાત કરી લીધો હતો. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

છોટુનગરમાં ભાડાના મકાનમાં રહેતી મિઝોરમની યુવતી લલમોન્ઝીલી છકછુપાક (ઉ.વ.26)એ બુધવારે વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે પડદો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, સવારે તેની બહેન જાગી ત્યારે યુવતીનો લટકતો દેહ જોવા મળ્યો હતો, ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. આ બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મિઝોરમની બંને બહેનો ઉપરોક્ત સ્થળે રૂમ ભાડે રાખીને રહેતી હતી અને ખાનગી નોકરી કરતી હતી, મંગળવારે રાત્રે લલમોન્ઝીલીએ ફરવા જવાની વાત કરી હતી પરંતુ તેની મોટી બહેને ના કહેતા તે બાબતનું માઠું લાગી આવ્યું હતું, રાત્રે મોટી બહેન પોતાના રૂમમાં સુવા ગયા બાદ લલમોન્ઝીલીએ અંતિમ પગલું ભરી લીધું હતું.

અન્ય બનાવમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે આશાપુરા રેસિડેન્સીમાં રહેતા મહિપાલસિંહ સોહનસિંહ ચૌહાણે (ઉ.વ.18) પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૌહાણ પરિવાર રાજસ્થાનનો વતની છે અને વર્ષોથી રાજકોટ રહે છે, મહિપાલસિંહ ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરનો હતો અને કોલેજમાં અભ્યાસ કરતો હતો, યુવાન પુત્રના ફાંસો ખાઇ આપઘાતથી ચૌહાણ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી. આ બન્ને આપઘાતના બનાવમાં યુવતી અને યુવકે ક્યા કારણોસર ફાંસો ખાધો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow