ડેટા ચોરી કેસમાં રૂ.500 કરોડનો દંડ થશે

ડેટા ચોરી કેસમાં રૂ.500 કરોડનો દંડ થશે

સરકારે પ્રસ્તાવિત ડિજીટલ પર્સનલ પ્રોટેક્શન બિલ 2022 હેઠળની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ દંડની રકમ વધારીને રૂ. 500 કરોડ કરી છે. વર્ષ 2019માં જારી થયેલ ડ્રાફ્ટ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં કંપનીના વૈશ્વિક ટર્નઓવરના 4 ટકા અથવા રૂ.15 કરોડના દંડની જોગવાઇ છે.

આ બિલનો હેતુ વ્યક્તિના ડિજીટલ પર્સનલ ડેટાને એ રીતે પ્રોસેસ કરવા માટે કહેવામાં આવ્યું છે જેમાં વ્યક્તિગત ગોપનીયતાના અધિકારોને રક્ષણ મળી રહે તેમજ કાયદાકીય પ્રક્રિયા માટે પર્સનલ ડેટાને પ્રોસેસ કરવામાં આવે. આ પ્રસ્તાવિત બિલ ડેટા પ્રોટેક્શન બિલને બદલે આવ્યું છે, જેને સરકાર આ વર્ષે ઓગસ્ટમાં પરત ખેંચ્યું હતું.

પ્રોટેક્શન બોર્ડ ઑફ ઇન્ડિયાનો પણ પ્રસ્તાવ છે જે બિલની જોગવાઇ અનુસાર કામ કરશે. જો કોઇ વ્યક્તિ કે કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાય તો તેને સાંભળવાની એક તક આપવામાં આવશે અને ત્યારબાદ પણ જો યોગ્ય લાગે તો શેડ્યુલ 1 અનુસાર તેમાં રૂ.500 કરોડ સુધીના દંડની જોગવાઇ છે. ડેટા પ્રોસેસરની વિરુદ્વ પણ દંડ ફટકારવામાં આવશે. જેમાં કંપનીઓનો પણ સમાવેશ થાય છે. ડેટા પ્રોસેસર જો ફ્રોડના કેસમાં વ્યક્તિગત ડેટાને સુરક્ષિત ન રાખી શકે તો તેની વિરુદ્વ રૂ.250 કરોડના દંડની જોગવાઇ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow