રાજકોટ યાર્ડમાં ખેડૂતે કહ્યું: 'નાફેડ વાળા દેખાતા જ નથી અને આવે તો 45 MMથી નીચેની ડુંગળી ખરીદતા નથી'

રાજકોટ યાર્ડમાં ખેડૂતે કહ્યું: 'નાફેડ વાળા દેખાતા જ નથી અને આવે તો 45 MMથી નીચેની ડુંગળી ખરીદતા નથી'

રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા આવતાઆવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાજુ યાર્ડમાં ખેડૂતોને ખાનગી હરરાજીમાં મણના ભાવ 60 થી લઈને 200 રૂપિયા જ ભાવ મળી રહેતા છે. બીજી બાજુ તેઓ એવો આક્ષેપ કરે છે કે, નાફેડ વાળા દેખાતા જ નથી અને આવે તો 45 MMથી નીચેની ડુંગળી ખરીદતા નથી'

ખેડૂતો પોતાની ડુંગળી વેચી નથી શકતા
આ અંગે હડમતાળા ગામના ખેડૂત રસિકભાઈએ જણાવ્યું હતું કે, નાફેડમાં ખેડૂતો પોતાની ડુંગળી વેચી નથી શકતા. 45 MMથી નાની ડુંગળીની નાફેડવાળા ખરીદતી નથી. હકીકતે 45 MMથી નાની ડુંગળીનો નિકાલ કરવો એ જ સૌથી મોટી સમસ્યા છે. કારણ કે ખુલ્લા બજારમાં એના જ ભાવ નથી મળતા.

હડમતાળા ગામના ખેડૂત રસિકભાઈ

આવક સ્વીકારવામાં આવે
વધુમાં તેમણે જણાવ્યું હતું કેમ હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. જો આવા સંજોગોમાં ડુંગળીની આવક સ્વીકારવામાં આવે અને ખુલ્લામાં રાખીએ તો માલ બગડી જાય. હવે યોગ્ય રીતે ખરીદી કરવામાં આવે તો અમને લાભ થાય.

ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેમની મુશ્કેલી વધી

શાકભાજીની આવક પર અસર
નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ ધાબડિયું વાતાવરણ જોવા મળે છે તો ક્યાંક માવઠું થયું છે. જો વાતાવરણ યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં તેની અસર શાકભાજીની આવક પર પડી શકે છે. છેલ્લા બે દિવસથી ડુંગળીના વેચાણમાં પણ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેમની મુશ્કેલી વધી છે.ત્યારે ખેડૂતોને માંગ છે કે નાફેડ દ્વારા ક્વોલિટીના ચક્કરમાં ન પડીને તેમની ડુંગળી ખરીદવામાં આવે અને આખા માર્ચ માસ દરમિયાન આ પ્રક્રિયા કરવામાં આવે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow