રાજકોટના ખેડૂતે રૂ.2.88 લાખના વટાણા મોકલ્યા

રાજકોટના ખેડૂતે રૂ.2.88 લાખના વટાણા મોકલ્યા

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર માધવ પાર્ક મેઈન રોડ પર રહેતા ભાવેશભાઇ રવજીભાઇ વઘાસીયા (ઉ.વ.35)એ ફરિયાદમાં વ્રજલાલ ઉર્ફે વિજય મનસુખભાઈ પાનસુરીયા વિરુદ્ધ છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

કઠોળનો વેપાર કરુ છુ
ભાવેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પરીવાર સાથે રહું છુ અને મારે કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે ખેતીની સાડા 12 વિઘા જમીન છે જેમા ખેતી કામ કરૂ છુ. બે મહીના પહેલા મને ફોન આવેલ અને કહેલ કે હુ વ્રજલાલ ઉર્ફે વિજય મનસુખભાઇ પાનસુરીયા બોલુ છુ અને હુ અનાજ અને કઠોળ ખરીદવાનો જથ્થાબંઘ વેપાર કરુ છુ. તમારા કોઇ પરીચયમાં હોય કે તમારે અનાજ કઠોળ વેચાણ આપવાના હોય તો મને ફોનથી જણાવજો હું સારો એવો ભાવ આપીશ.

બે ત્રણ દિવસમા પેમેન્ટ કરી દઇશ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ મે કહેલ કે મારે સુકા વટાણા વેચવાના છે હું તમને થોડા દિવસ પછી વાત કરીશ તેવુ કહી વાત પુરી કરેલ ત્યાર બાદ આ વ્રજલાલ ઉર્ફે વિજય પાનસુરીયાનો મારા ઉપર ફોન આવતો હતો અને અમો પરીચયમાં આવેલ અને મારી સાથે વિશ્વાસ કેળવેલ હતો. જેથી હું તેના વિશ્વાસમા આવી ગયેલ અને મને ફોન કરી કહે કે તમારે સુકાવટાણા વેચાણ આપવા હોય તો મને વેચાણથી આપો હુ બે ત્રણ દિવસમા પેમેન્ટ કરી દઇશ તેમ અમોને વિશ્ર્વાશ અને વચન આપ્યું હતું. જેથી મને કહેલ કે હું આયશર ટ્રક તમો કહો તે જગ્યાએ મોકલુ છુ. તેમાં તમો સુકા વટાણાની બોરીયો ભરાવી આપજો તેમ કહેતા મે તેમને રામપરા (બેટી) માં આવેલી વાસાણી કોલ્ડ ચેઇન પ્રા.લિ,જે આર.કે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 2 મોકલી આપવાનું કહ્યું હતું.

તમો સુકા વટાણા મોકલો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી વ્રજલાલ ઉર્ફે વિજય પાનસુરીયાએ તા.20 જાન્યુઆરીના રોજ બપોરના ગાડી મોકલી આપેલ જેથી મે આ વ્રજલાલ ઉર્ફે વિજય પાનસુરીયાને ફોન કરી કહેલ કે તમારૂ જીજે.03 એજેડ.4509 અહી આવી ગઈ છે. તેમ વાત કરેલ તો તેને કહેલ કે તમો સુકા વટાણા મે મોકલેલ ગાડીમાં ભરાવી આપો અને એક કિલો ભાવ શુ છે જેથી અમોએ એક બીજાએ ચર્ચા કરી એક કિલો વટાણાના રૂ.57 લેખે 5070 કિલોના કુલ રૂપીયા 2,88,990 નક્કી થયા હતા. જેથી મેં પેમેન્ટની વાત કરતા બે ત્રણ દિવસમા હું તમોને આર.ટી.જી.એસ મારફતે પૈસા ચુકવી આપીશ તેવી ખાતરી આપી હતી.

બહાના બતાવતો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાદમાં તેને કુલ કિ.રૂ. 2,88,990 નો માલ આપી તા.20/01ના સુરત મોકલી આપેલ રવાના થયાની જાણ પણ વ્રજલાલને કરેલ હતી. ત્યાર બાદ મે અવાર નવાર આ વ્રજલાલ પાસે નાણાંની માંગણી કરતા હોય પોતે અલગ અલગ બહાના બતાવતો હતો જેથી એરપોર્ટ પોલીસમાં વ્રજલાલ ઉર્ફે વિજય મનસુખભાઈ પાનસુરીયા વિરુદ્ધ છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow