Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
National

રામમંદિર માટે ભક્તે બનાવ્યું 400 કિલોનું તાળું

Gujaratnow2 min read
રામમંદિર માટે ભક્તે બનાવ્યું 400 કિલોનું તાળું

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું તાળું તૈયાર કર્યું છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે મંદિર ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ 'દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું' તૈયાર કર્યું છે. આ માટે તેણે ઘણા મહિનાઓ સુધી સખત મહેનત કરવી પડી હતી.

400 કિલોનું તાળું
અલીગઢના સત્યપ્રકાશ શર્મા આ વર્ષના અંતમાં રામ મંદિરના અધિકારીઓને 400 કિલો વજનનું તાળું સોંપવાની તૈયારી કરી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે મોટી સંખ્યામાં ભક્તો ભેટ આપી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે અમારે જોવું પડશે કે અમે આ તાળાનો ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ.

સત્ય પ્રકાશે કહ્યું કે રામ મંદિરને ધ્યાનમાં રાખીને તેમણે ચાર ફૂટની ચાવી સાથે એક વિશાળ તાળું તૈયાર કર્યું છે. તેની ઊંચાઈ 10 ફૂટ, 4.5 ફૂટ પહોળું અને 9.5 ઈંચ જાડું છે. આ તાળાને આ વર્ષની શરૂઆતમાં દર વર્ષે યોજાતા અલીગઢ પ્રદર્શનમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે આ તાળું પરફેક્ટ હોય. આ મારા માટે 'પ્રેમનું પરિશ્રણ' છે. મારી પત્ની રૂકમણીએ પણ આ કામમાં મદદ કરી હતી. સત્ય પ્રકાશ શર્માની પત્ની રુકમણીએ કહ્યું, 'અગાઉ અમે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળું તાળું બનાવ્યું હતું, પરંતુ કેટલાક લોકોએ મોટું તાળું બનાવવાનું સૂચન કર્યું, તેથી અમે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. તાળાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

Gujaratnow2 min read

Related News