કાર્તિકેય પૂજા અને વ્રતનો દિવસ

કાર્તિકેય પૂજા અને વ્રતનો દિવસ

આજે તિથિ, વાર અને નક્ષત્રના સંયોગમાં ભગવાન કાર્તિકેયની પૂજા અને વ્રત કરવામાં આવશે. જેને સ્કંદ છઠ્ઠ કહેવામાં આવે છે. આ ભગવાન કાર્તિકેયને સમર્પિત તહેવારમાંથી એક છે. સ્કંદ છઠ્ઠને કાર્તિકેય ષષ્ઠીના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમ કે ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર પણ છે. ભગવાન કાર્તિકેયની પૂજાનું ખાસ પર્વ બુધવારે સિદ્ધિ યોગમાં ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી બધા પ્રકારના કષ્ટોનું નિવારણ થઈ જાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રએ જણાવ્યું કે સ્કંદ છઠ્ઠનું વ્રત કરનાર લોકોને લોભ, મોહ, ગુસ્સો અને અહંકારથી મુક્તિ મળી જાય છે. ધન, યશ અને વૈભવમાં વધારો થાય છે. વ્યક્તિને શારીરિક કષ્ટો અને રોગથી પણ છુટકારો મળી જાય છે.

સ્કંદ છઠ્ઠ વ્રતનું મહત્ત્વ
ભગવાન મુરૂગને સોરપદ્મન અને તેના ભાઈ તારકાસુર અને સિંહમુખનો છઠ્ઠ તિથિમાં વધ કર્યો હતો. સ્કંદ છઠ્ઠનો આ દિવસ વિજયનું પ્રતીક છે. ભગવાન મુરૂગને વેલ અથવા લાંસ નામના પોતાના હથિયારનો ઉપયોગ કરીને સોપદ્મનનું માંથુ ધડથી અલગ કર્યું. કપાયેલાં માથામાંથી બે પક્ષી બહાર આવ્યાં. એક મોર- જે કાર્તિકેયનું વાહન બન્યું અને એક મરઘો જે તેમના ધ્વજનું પ્રતીક બની ગયું.

સ્કંદ છઠ્ઠ વ્રતની કથા પ્રમાણે ચ્યવન ઋષિની આંખનું તેજ જતું રહ્યું હતું ત્યારે તેમણે સ્કંદકુમારની પૂજા કરી હતી. વ્રતના પ્રભાવથી તેમની આંખનું તેજ પાછું આવી ગયું હતું.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow