માંડવિયાની અપીલના એક દિવસ બાદ રાહુલે તો નહીં ભાજપે અટકાવી દીધી તેની જન આક્રોશ યાત્રા

માંડવિયાની અપીલના એક દિવસ બાદ રાહુલે તો નહીં ભાજપે અટકાવી દીધી તેની જન આક્રોશ યાત્રા

કોરોના સંકટ વચ્ચે ભાજપે રાજસ્થાનમાં ચાલી રહેલી જન આક્રોશ યાત્રાને રદ્દ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ માહિતી આપી હતી.કોંગ્રેસની ભારત જોડો યાત્રાના જવાબમાં ભાજપ રાજસ્થાનમાં જન આક્રોશ યાત્રા કાઢી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જન આક્રોશ યાત્રા માટે 51 રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જન આક્રોશ યાત્રા રાજ્યના તમામ 200 વિધાનસભા મત વિસ્તારોમાં ફરવાની હતી.

ગઈકાલે માંડવિયાએ રાહુલને ભારત જોડો યાત્રા અટકાવવાનું કહ્યું હતું
ઉલ્લેખીય છે કે એક દિવસ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને કોરોનાને પગલે ભારત જોડો યાત્રા રોકવાની અપીલ કરી હતી. તેમણે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી હતી. જો તેનું પાલન ન થઈ શકે તો દેશના હિતમાં આ યાત્રાને સ્થગિત કરી દેવી જોઈએ. માંડવિયાની અપીલ બાદ કોંગ્રેસ ભાજપ પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે રાહુલની મુલાકાતમાં મળી રહેલા જનસમર્થનને કારણે ભાજપ નારાજ છે. તેથી જ તે નથી ઇચ્છતી કે આ સફર થાય.

ભારતમાં વધી રહ્યું છે કોરોના જોખમ, ભીડ ઘટાડવાની અપીલ

દેશમાં ફરી એકવાર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેના માટે સરકાર દરેક મોરચે તૈયારી કરી રહી છે. ખુદ પ્રધાનમંત્રી મોદીની સ્થિતિ પર ચાંપતી નજર છે. એક દિવસ પહેલા હાઈ લેવલ મીટિંગ કર્યાં બાદ હવે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં કોરોના વિશે માહિતી આપી છે.

લોકો માસ્ક પહેરે, સેનિટાઈઝરનો ઉપયોગ કરે
લોકસભાના માધ્યમ દ્વારા સાંસદો અને દેશને કોરોનાની સ્થિતિની જાણ કરતા માંડવિયાએ કહ્યું કે દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને સેનિટાઇઝરનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ કરવાની સલાહ આપવામાં આવી છે. જેથી દેશમાં જો નવું વેરિયંટ આવે તો તેને સમયસર ઓળખીને પગલા ભરી શકાય. આગામી તહેવાર અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને, રાજ્યોએ સતર્ક રહેવું જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow