ધુળેટીએ રાહદારીઓ પર કલર ફેંકનાર સામે કેસ થશે

ધુળેટીએ રાહદારીઓ પર કલર ફેંકનાર સામે કેસ થશે

હોળી-ધુળેટીના તહેવાર પર કેટલાક શખ્સો છાકટા બનીને રાહદારીઓ પર કલર ઉડાડતા હોય છે તેમજ પાણી ભરેલા ફુગ્ગાઓ યુવતીઓ પર ફેંકીને છેડતી કરતા હોવાના કિસ્સા પણ અગાઉ બન્યા છે, ત્યારે આગામી ધુળેટીના તહેવાર પર આવી પ્રવૃત્તિ કરનારાઓ સામે પોલીસની તવાઇ ઉતરશે, પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી રાહદારીઓ પર કલર કે પાણી ભરેલા ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ મુક્યો હતો.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જાહેરનામા મુજબ ધુળેટીના તહેવાર દરમિયાન કોઇપણ વ્યક્તિ જાહેર જગ્યાઓ ઉપર રાહદારીઓ કે આવતા જતા લોકો પર રંગ, પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, તૈલી પદાર્થ ફેંકી શકશે નહીં તેમજ તે માટેના સાધનો પોતાની સાથે લઇ જઇ શકશે નહીં.

તેમજ આડેધડ દોડધામ કરવા પર કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ જાહેરનામું તા.7ના રાત્રીના 12 વાગ્યાથી તા.9ના રાત્રીના 12 વાગ્યા સુધી અમલી રહેશે, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત ધુળેટીના દિવસે પોલીસ ખાનગી ડ્રેસમાં આવા તત્ત્વો પર વોચ રાખીને પ્રવૃત્તિ કરનારાઓની સ્થળ પર જ શાન ઠેકાણે લાવશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow