બનારસમાં ઉગે છે એવું ગાજર જેનો સ્વાદ છે રેડ વાઈન જેવો, સાત રંગના આ ગાજરમાં છે પૌષ્ટિક તત્વો

બનારસમાં ઉગે છે એવું ગાજર જેનો સ્વાદ છે રેડ વાઈન જેવો, સાત રંગના આ ગાજરમાં છે પૌષ્ટિક તત્વો

‌                                                               લાલ અને ગુલાબી રંગ સિવાય અહી કાળા, જાંબલી, નારંગી, પીળા અને સફેદ રંગના ગાજર ઉગાડવામાં આવ્યા છે અને માત્ર એટલુ જ નહી તેના જ્યુસમાંથી રેડ વાઇન જેવો ટેસ્ટ આવે છે.  

આ સફળ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક ડૉ. વિનોદ કુમાર સિંહ જણાવે છે કે રંગથી જ નહી પરંતુ દરેકના પોતાના ઔષધિય ગુણ પણ છે. જેમકે કાળા રંગના ગાજરમાં એન્થોસાઇનીન તત્વ જોવા મળે છે.  

જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી હલવો પણ બની શકે છે અને જો તમે આ ગાજરને નવસેકા પાણીમાં થોડી વાર રાખીને તેનો જ્યુસ બનાવો છો તો સો ગ્રામ ગાજરમાંથી પાંચ ગ્લાસ જ્યુસ નીકળે છે.

તેમણે કહ્યું કે આ જ્યુસમાં તમે લીંબુનો રસ નાંખશો તો તેનો રંગ અને સ્વાદ બિલકુલ રેડ વાઇન જેવો જ થઇ જશે. આ જ રીતે પીળા ગાજરમાં યુટીન અને જેન્ટોથીન તત્વ છે જે ત્વચા માટે ખુબ જ લાભકારી છે.

ગાજરની આ પ્રજાતિને ઉગાડીને ભારતીય અનુસંધાન સંસ્થાને મોટી સફળતા હાંસલ કરી છે. સંસ્થાનના ડાયરેક્ટર ડૉ.જગદીશ સિંહ જણાવે છે કે જલ્દી જ આ બીજ ખેડૂતોને આપીને સામાન્ય માણસ સુધી પહોંચાડી શકાશે.  

માત્ર આટલુ જ નહી પરંતુ કુંડાની સાઇઝ મોટી હશે તો શહેરોમાં રહેનારા વ્યક્તિઓ ટેરેસ ગાર્ડનમાં ઉગાડીને ગાજરનો સ્વાદ લઇ શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે ગાજરોમાં અલગ ફાઇટોકેમિકલ હોય છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow