મુંબઈમાં દરિયા કિનારે ચાલ્યું બુલડોઝર

મુંબઈમાં દરિયા કિનારે ચાલ્યું બુલડોઝર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સુપ્રીમો રાજ ઠાકરેની ચેતવણી બાદ મુંબઈમાં માહિમ બીચ પર નિર્માણાધીન દરગાહને તોડી પાડવામાં આવી છે. બુલડોઝરની મદદથી અતિક્રમણ સ્થળને તોડી પાડવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમ તેને પણ તોડી રહી છે. આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો

રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે માહિમ બીચ પર ગેરકાયદે દરગાહ બનાવવામાં આવી રહી છે. રાજ ઠાકરેએ પ્રશ્ન ઉઠાવતા જ ગુરુવારે સવારે બુલડોઝર માહિમ બીચ પર પહોંચી ગયું હતું. અતિક્રમણ સ્થળના ડિમોલિશન દરમિયાન ડઝનબંધ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

રાજ ઠાકરેની ચેતવણી બાદ કરવામાં આવી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ 22 માર્ચે એક રેલી દરમિયાન ચેતવણી આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે માહિમ બીચ પર દરિયામાં ગેરકાયદે બાંધકામ થયું છે. તેણે તેનો વીડિયો પણ બતાવ્યો. આ દરમિયાન ઠાકરેએ કહ્યું કે માહિમ બીચ પર એક અનધિકૃત કબર બનાવવામાં આવી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો એક મહિનામાં તેને તોડી પાડવામાં નહીં આવે તો તેની નજીક એક મોટું ગણપતિ મંદિર બનાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેની ચેતવણી બાદ અધિકારીઓએ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સત્તાધીશોના આદેશથી જ અનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow