સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે કાળી ઈલાયતી, આ જીવલેણ બીમારીઓને દૂર કરવામાં છે ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે કાળી ઈલાયતી, આ જીવલેણ બીમારીઓને દૂર કરવામાં છે ફાયદાકારક

લીલી ઈલાયચી વિશે તો બધા જાણે છે. ઈલાયચીનો રંગ કાળો પણ હોય છે. કાળી ઈલાયચીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. કાળી ઈલાયચી ઔષધીય ગુણોનો ભંડાર છે.

તે ખાવાનો સ્વાદ તો વધારે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળી ઈલાયચીમાં રહેલા પોષક તત્વો અનેક જીવલેણ રોગોને દૂર કરવાનું કામ કરે છે. ચાલો જાણીએ કાળી ઈલાયચીના ફાયદાઓ વિશે.  

મોઢાની દુર્ગંધ થશે દૂર
એલચીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તે મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારીને દુર્ગંધ દૂર કરવાનું કામ કરે છે. કાળી ઈલાયચી પેઢાના ઈન્ફેક્શનને પણ મટાડે છે.

પાચનમાં ફાયદાકારક
કાળી ઈલાયચી પાચન માટે ફાયદાકારક છે. જેના કારણે ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. કાળી એલચીના સેવનથી પેટ ફૂલવાની સમસ્યામાં પણ રાહત મળે છે.  

પથરીનો ખતરો રહે છે દૂર
તેમાં રહેલા ગુણ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે કિડનીને સાફ કરે છે. કાળી ઈલાયચીના સેવનથી પથરીનો ખતરો દૂર થાય છે.

હાર્ટ હેલ્ધ માટે ફાયદાકારક
કાળી ઈલાયચીમાં રહેલા પોષક તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે. તે હૃદયના ધબકારા પણ સામાન્ય રાખે છે.

શરદી ખાંસીમાંથી છુટકારો
કાળી એલચીમાં રહેલા ઔષધીય ગુણો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી, ઉધરસ અને તાવ જેવા ચેપી રોગોના જોખમને દૂર કરે છે. તેને ગરમ કર્યા બાદ ખાવાથી ઉધરસમાં આરામ મળે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow