રાજકોટમાં કિરણનગરમાં ફાંસો ખાઇ બેંકના સેલ્સ મેનેજરે આપઘાત કરી લીધો

રાજકોટમાં કિરણનગરમાં ફાંસો ખાઇ બેંકના સેલ્સ મેનેજરે આપઘાત કરી લીધો

કોઠારિયા રોડ પરના કિરણનગરમાં બેંક કર્મચારીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. તેમજ બાંધકામ સાઇટ પર શ્રમિકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળના કિરણનગરમાં રહેતા રિષભ નવનીતભાઇ દેગડા (ઉ.વ.26)એ પોતાના ઘરે છતના હૂકમાં સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રિષભ એક બહેનનો એકનો એક ભાઇ હતો અને રણછોડનગરમાં એચડીએફસી બેંકમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતો હતો.

બુધવારે સાંજે દેગડા પરિવારના સભ્યો સંબંધીને ત્યાં જમવા ગયા હતા. રિષભ જમીને પોતે ઘરે જાય છે તેમ કહી રવાના થયો હતો અને પરિવારના સભ્યો થોડીવાર માટે રોકાયા હતા, દેગડા પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા ત્યારે રિષભનો લટકતો દેહ જોવા મળ્યો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. જામનગર રોડ પર જલારામ મંદિર નજીક નવી બની રહેલી વર્ધમાન કન્સ્ટ્રક્શનની સાઇટ પર મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના રોહિત બંસીલાલ કનેશે (ઉ.વ.20) છતના હૂકમાં શર્ટ બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રોહિત પંદર દિવસ પૂર્વે જ મજૂરીકામ માટે રાજકોટ આવ્યો હતો અને તે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેની પત્ની હાલમાં સગર્ભા છે. બનાવથી કનેશ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.જ્યારે અન્ય એક બનાવમાં જામનગર રોડ પરના પરસાણાનગરમાં રહેતા વિનોદભાઇ વજુભાઇ વાડોદરિયા (ઉ.વ.50)એ ગત તા.26ના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન નજીક રોડ પર ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને ગુરુવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિનોદભાઇ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આર્થિક સંકડામણને કારણે વિનોદભાઇએ પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow