એક કિલો વજન સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબે 102 દિવસ સારવાર કરી નવજીવન આપ્યું

એક કિલો વજન સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબે 102 દિવસ સારવાર કરી નવજીવન આપ્યું

દાંતા તાલુકાના ખેરાનીઊમરી ગામના 1 કિલો વજન સાથે 6 માસે જન્મેલી બાળકીને બનાસ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા 102 દિવસની લાંબી સારવારના અંતે બચાવી લેવાઇ છે. ગત 28 સપ્ટે.ના રોજ બાળકની માતાને પેટમાં દુ:ખાવો ઉપડતા નજીકની પ્રાયવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતા અને વધુ સારવાર અર્થે બનાસ સિવિલ પાલનપુર ખાતે લવાતા માતાને અધૂરા મહિના હોવાને લીધે PNCમાં રાખ્યા હતા. શારીરિક તફ્લીકોના પરિણામે તેમણે 6 માસની ગર્ભાવસ્થા બાદ અધૂરા માસે નોર્મલ ડીલેવરી કરી પુત્રીને જન્મ આપ્યો હતો.

જન્મેલી બાળકીનું વજન માત્ર 1 કિલો હતું.જન્મતાની સાથે જ નબળા ફેફસા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ હતી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષીએ જણાવ્યું કે ડો.અજીત શ્રીવાસ્તવ ,ડો.ભાવિ શાહ, ડો.વર્ષા પટેલ દ્વારા બાળકની ગંભીર સ્થિતિ જોતા બાળકને સીપેપ મશીન પર મુકવામાં આવ્યું હતું. જે બાદ બાળકના હૃદયના ધબકારા વધારવા ઇન્જેકશનો ચાલુ કરવામાં આવ્યા હતા. જોકે આ સ્થિતિ બાળકને રજા આપવી શક્ય ન હતી. છતાં આદિવાસી પરિવાર માન્યું નહિ ઘરે 45 દિવસની સારવાર બાદ ઘરે ગયા હતા જ્યાં પાંચમાં દિવસે બાળકની તબિયત બગડતાં સિવિલના એન.આઈ.સી.યુ. ખાતે આવ્યા હતા.

102 દિવસની લાંબી સારવારના અંતે બચાવી લેવાઇ
જ્યાં સારવાર બાદ સ્થિતિમાં સુધારો આવતા માતાનું ધાવણ શરૂ કરવામાં આવ્યું અને બાળકને બચાવી લેવામાં આવી હતી. બાળકીની માતા બલીબેન ડાભીએ જણાવ્યું કે " મારી દીકરીને અધૂરા મહીને જન્મી હતી જેના પરિણામે અમે સતત 102 દિવસ સુધી બનાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મારા અને બાળકની ખુબજ સંભાળ રાખવામાં આવી હતી સિવિલમાં સ્તનપાન અગે માર્ગદર્શન અને દવા સમયસર આપવામાં આવી. સભ્યોએ જણાવ્યું હતું કે" અમારા ખેરાનીઊમરી ગામમાં લોકો માનવા તૈયાર નહોતા કે બાળક જીવી ગયું. અમે તબીબોનો આભાર માનીએ છીએ.

બાળકીને આ તકલીફથી ઉગારી લેવાઈ
• પીળીયાની અસર થતા ફોટોથેરાપી અપાઈ હતી.
• બાળકને ટુ-ડી-ઇક્કો દ્વારા તપાસ કરતાં બાળકને હ્રદયમાં કાણું હોવાનું જાણવા મળતા સારવાર કરવામાં આવી હતી.
• બાળકને નીમોનીયાની પણ અસર જોવા મળતા બાળકને ઓક્સિજન આપવામાં આવ્યું હતું
• બાળકને પાંડુરોગ જાણતા બે વખત લોહી ચડાવવામાં આવ્યું હતું.
• શરૂઆતના દિવસોમાં બાળકને નળી દ્વારા દુધ આપવામાં આવ્યું હતું.
• કાંગારું મધર કેર શરૂ કરી માતાનું ધાવણ આપવામાં આવ્યું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow