છેલ્લા બે વર્ષમાં દેશમાં દાણચોરીના સોનાની જપ્તીમાં 62.5%નો વધારો

છેલ્લા બે વર્ષમાં દેશમાં દાણચોરીના સોનાની જપ્તીમાં 62.5%નો વધારો

દેશમાં સોનાની દાણચોરી સતત વધી રહી છે. સરકારી આંકડા પણ આ વાતની ખાતરી આપી રહ્યાં છે. છેલ્લા બે વર્ષમાં દાણચોરી દ્વારા જપ્ત કરાયેલા સોનામાં 62.5%નો વધારો થયો છે. 2020માં કુલ 2,154.58 કિલો સોનું જપ્ત કરાયું હતું. 2022માં આ આંકડો વધીને 3,502.16 કિલો થઈ ગયો, જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં જ 384.71 કિલો જપ્ત કરાયું છે.  

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. છેલ્લા બે વર્ષમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા પકડાયેલા સોનાની દાણચોરીના કેસોમાં 55.12%નો વધારો થયો છે. 2020માં સોનાના જપ્તી કેસની કુલ સંખ્યા 2,567 હતી. 2022માં તે વધીને 3,982 થઈ ગઈ.

આ વર્ષે જાન્યુઆરીમાં તેમની સંખ્યા 414 હતી.
ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા પણ 23.11% વધી છે. 2020માં 1,389 લોકોની ધરપકડ કરાઇ હતી. 2022માં તેમની સંખ્યા વધીને 1,710 થઈ. આ વર્ષે જાન્યુઆરીમાં 115ની ધરપકડ કરાઇ છે.

ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં દાણચોરીમાં વધારો થવાનું મુખ્ય કારણ સોના પરની ઊંચી ઇમ્પોર્ટ ડ્યૂટી છે. સરકારી સૂત્રોના મતે, ગત વર્ષ 2022માં દેશમાં 706 ટન સોનાની આયાત કરાઇ હતી. આના એક વર્ષ પહેલા 2021માં 1,068 ટન સોનાની આયાત કરાઇ હતી.

ભારતમાં સૌથી વધુ આયાત શુલ્ક, તેથી સોનાની દાણચોરી વધી રહી છે
ભારત વિશ્વમાં સૌથી વધુ આયાત જકાત ધરાવે છે. તમામ પ્રકારના કર સહિત, તે 15% સુધી પહોંચે છે. આ સિવાય જ્વેલરી બનાવવા પર 3% GST વસૂલવામાં આવે છે. દેશમાં સોનાની દાણચોરી વધવાનું આ મુખ્ય કારણ છે. પરંતુ દેશમાં સોનાની આયાતને ઓછો કરવા માટે સરકારે તેના પરની આયાત જકાત વધારી દીધી છે.
> અજય કેડિયા, કેડિયા એડવાઇઝરી

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow