બ્રિટનના શહેરોમાં 32 કિ.મી/કલાકની સ્પીડ લિમિટથી અકસ્માત 15% ઘટ્યા

બ્રિટનના શહેરોમાં 32 કિ.મી/કલાકની સ્પીડ લિમિટથી અકસ્માત 15% ઘટ્યા

શહેરોમાં થનારા અકાળે મૃત્યુ પાછળનું મોટું કારણ માર્ગ અકસ્માત છે. અકસ્માતો ઘટાડવા માટે બ્રિટન સહિત યુરોપમાં અનેક દેશો પોતાના શહેરોમાં સ્પીડ લિમિટ 32 કિ.મી/કલાક નક્કી કરી રહ્યાં છે. વાહનોની સ્પીડ લિમિટ મર્યાદિત કરવાની અસર જાણવાના આશયથી ઉત્તરી આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં ક્વીન યુનિવર્સિટીએ એક રિસર્ચ કર્યું છે. તેમાં 76 માર્ગ પર ગતિ મર્યાદા લાગૂ કરતા પહેલા, લાગૂ કરવાના એક વર્ષ બાદ અને ત્રણ વર્ષ બાદ માર્ગ અકસ્માતો, મોત, વાહનોની સંખ્યા તેમજ ગતિના આંકડાનું વિશ્લેષણ કરાયું હતું.

આ આંકડાઓની જે શહેરોમાં સ્પીડ લિમિટ નક્કી નથી એ શહેરો સાથે તુલના કરવામાં આવી હતી. સ્ટડી અનુસાર વાહનોના અકસ્માતમાં ત્રણ વર્ષ બાદ 15%નો ઘટાડો નોંધાયો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોની સંખ્યામાં એક વર્ષ બાદ 16% તેમજ ત્રણ વર્ષ બાદ 22%નો ઘટાડો નોંધાયો. ટ્રાફિકની સેરરાશ સ્પીડ એક વર્ષ બાદ 0.3 કિ.મી તેમજ ત્રણ વર્ષ બાદ 1.4 કિ.મી ઘટી હતી.

સવારે થનારા વાહનોના ટ્રાફિકમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો. 32થી 48 કિ.મી/કલાકની સ્પીડ લિમિટ વાળી સડકોની તુલનામાં 48 થી 64 કિ.મી/કલાકની સ્પીડ લિમિટ ધરાવતી સડકો પર રાહદારીઓ માટે ખતરો 3.5 થી 5.5 ગણો વધ્યો હતો. અકસ્માતો નિયંત્રિત કરવા માટે 32 કિ.મી/કલાકની ગતિ મર્યાદા, ડ્રાઇવરને તાલિમ, સીસીટીવી કેમેરા, સામાજીક જાગરુકતા, સ્પીડ વોચ, પોલીસ કાર્યવાહી જરૂરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow