16.5 ફૂટનો વ્યાસ ધરાવતા 250 કિલો વજનના શંખને આજે ભવનાથ મંદિરે ખુલ્લો મૂકાશે

16.5 ફૂટનો વ્યાસ ધરાવતા 250 કિલો વજનના શંખને આજે ભવનાથ મંદિરે ખુલ્લો મૂકાશે

જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે મુંબઇથી આવેલા 16.5 ફૂટનો વ્યાસ ધરાવતો 250 કિલોના આર્ટિફિશિયલ શંખને મહા શિવરાત્રિના પાવન દિવસે વિધી બાદ દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવશે. આ અંગે મૂળ જૂનાગઢની દિકરી અને હાલ મુંબઇ રહેતા સોનલબેન પટેલ-સાવંતે જણાવ્યું હતું કે, હું જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાની દિકરીની બહેનપણી છું.

16.5 ફૂટનો 250 કિલોના આર્ટિફિશિયલ શંખ
મે મુંબઇના બાબુલનાથ મહાદેવ મંદિર,નાશિકમાં તેમજ અનેક શિવ મંદિરોમાં આવા શંખ આપ્યા છે. દરમિયાન જૂનાગઢના ભવનાથ મંદિરમાં અગાઉ દર્શને આવેલ ત્યારે જ અહિં પણ શંખ મૂકવાની અંતરથી ભાવના જાગી હતી. બાદમાં ક્રિપાબેન શાહ, જયશ્રીબેન દેસાઇ વગેરેએ સાથે મળીને આ આર્ટિફિશ્યલ શંખ બનાવરાવ્યો છે.

12 લાખના ખર્ચે તૈયાર થયેલ આ શંખને મુંબઇથી જૂનાગઢ લવાયો
6 કારીગરોની 1.5 મહિનાની મહેનત બાદ પંચદ્રવ્યોથી બનેલા આ શંખને તૈયાર કરવા સફળતા મળી છે. 12 લાખના ખર્ચે તૈયાર થયેલ આ શંખને મુંબઇથી જૂનાગઢ ટ્રકમાં લવાયો છે જે ત્રણ દિવસે અહિં પહોંચ્યો છે. આ શંખને હવે મહા શિવરાત્રિના પાવન દિવસે ષોડષોપચાર વિધી બાદ લોકોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવશે.

12 જ્યોર્તિલીંગમાં શંખ અપાશે
શંખને વ્યવસ્થિત ગોઠવવા માટે ઇજનેરો આવશે. અહિં 4 થી 5 ફૂટનો ખાડો ખોદી સ્ટેન્ડ બનાવવામાં આવશે. બાદમાં શંખને ગોઠવવામાં આવશે. દેશના 12 જ્યોતિર્લીંગમાં આ રીતે શંખ અપાશે . - સોનલબેન પટેલ-સાવંત.

શંખ પ્રવેશદ્વાર પાસે જ ગોઠવાશે
આજે- મહા શિવરાત્રિના પાવન દિવસે સવારે 10થી 11 પૂજનવિધી કરાશે. બાદમાં ભવનાથ મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ આ શંખને સ્ટેન્ડ બનાવી ગોઠવાશે. ખાસ કરીને શંખ વગાડ્યા બાદ જ શિવજીની આરતી થાય છે. ત્યારે આવા શંખના દર્શન માત્રથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે.- ગિરીશભાઇ કોટેચા, ડેપ્યુટી મેયર.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow