જસદણના વાજસુરપરામાં રહેતી 13 વર્ષની બાળા પર બે નરાધમનું દુષ્કર્મ

જસદણના વાજસુરપરામાં રહેતી 13 વર્ષની બાળા પર બે નરાધમનું દુષ્કર્મ

મૂળ મધ્યપ્રદેશના અને હાલ જસદણના વાજસુરપરા વિસ્તારમાં રહી મજૂરીકામ કરતા પરીવારની 13 વર્ષીય બાળાને આટકોટના બે નરાધમએ બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતાં બન્ને પર ફીટકાર વરસ્યો છે. આ બન્ને શખ્સએ 15 દિવસ અગાઉ પણ આ જ રીતે તેને ઉઠાવી જઇ બળજબરી કરી હોવાની કેફિયત પીડિતાએ આપી હતી.

13 વર્ષીય બાળકી પર નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના
બાળા તેના માતા-પિતા સાથે આટકોટમાં મકાનના બાંધકામ માટે મજૂરીકામે ગયા હતા. ત્યારે ગત શનિવારે સાંજના 4 વાગ્યા આસપાસ બાળા જાજરૂ માટે ગઇ ત્યારે તેને બે અજાણ્યા શખ્સોએ બળજબરી કરી બાળાનું બાવડું પકડી બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ ગયા હતા અને બળજબરી કરી હતી.

માતા-પિતા સહિત બધાને મારી નાખવાની ધમકી આપીને બન્ને નાસી ગયા
જો કે બાદમાં બન્ને હવસખોરએ બાળાને આટકોટની બાયપાસ ચોકડી પાસે ઉતારી દઈ તેને અને તેના માતા-પિતા સહિત બધાને મારી નાખવાની ધમકી આપીને બન્ને નાસી ગયા હતા. આથી બાળાએ ડરના માર્યા કોઇને જાણ કરી ન હતી એવામાં ગત શનિવારે બીજી વખત તે બન્ને શખ્સએ તેની સાથે દુષ્કર્મ કરતાં તેને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને સઘળી બીનાથી માતા પિતાને વાકેફ કર્યા હતા. બાળાને સારવાર માટે જસદણ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી અને ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરતા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે કાર્યવાહી આરંભી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow