કુવાડવામાં કારે અડફેટે લેતા 10 વર્ષના બાળકનું મોત

કુવાડવામાં કારે અડફેટે લેતા 10 વર્ષના બાળકનું મોત

રાજકોટના કુવાડવા ગામમાં રહેતો જયેશ ઉર્ફે ચીકી સવજીભાઇ ગોહેલ (ઉં.વ.10) ગઇકાલે પોતાના ઘર પાસે ચાલીને જતો હતો. ત્‍યારે જીજે.03.એચઆર.5584 નંબરની વેગનઆર કારના ચાલકે પૂર ઝડપે આવી જયેશને અડફેટે લેતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી. અકસ્‍માત સર્જાતા ચાલક કાર રેઢી મૂકી ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જયેશને સારવાર માટે કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્રમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્‍યુ હતું.

પિતા ડ્રાઇવિંગનું કામ કરે છે
મૃતક જયેશ એક બહેન અને બે ભાઇમાં નાનો હતો. પિતા ડ્રાઇવિંગ કરે છે અને પોતે ધોરણ 4માં અભ્‍યાસ કરતો હતો. આ બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.કે. પાંડાવદરા સહિતે સ્‍થળ પર પહોંચી મૃતક જયેશના પિતા મહેન્‍દ્રભાઇ ગોહેલની ફરિયાદ પરથી કારના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરાર આરોપીએ આગોતરા જામીન અરજી કરી
વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારે કરેલા સામુહિક આપઘાત કેસમાં ફરાર આરોપી યુવરાજસિંહ ઝાલાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. આ અરજી માન્ય રાખી ફરિયાદીની ફરિયાદ કે ડાઇંગ ડિક્લેરેશનમાં યુવરાજસિંહનું નામ નથી છતાં પોલીસ ખોટી રીતે ફિટ કરવા માગતી હોવાનો આગોતરા જામીન અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow