91 ટકા માતા-પિતાના મતે પરિવાર સાથે ભોજન કરવાથી તણાવ દૂર થાય છે

91 ટકા માતા-પિતાના મતે પરિવાર સાથે ભોજન કરવાથી તણાવ દૂર થાય છે

હંમેશા ખુશ અને સ્વસ્થ રહેવા માટે અમેરિકા સહિતના દેશોમાં ડિનર થેરપીનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. તેને પારિવારિક તણાવ દૂર કરવા માટેની સિક્રેટ ફોર્મ્યુલા માનવામાં આવે છે. વાસ્તવમાં, અમેરિકન હાર્ટ એસોસિયેશનના સંશોધકોએ રિસર્ચમાં ખુલાસો કર્યો છે કે 91 ટકા માતાપિતા માને છે કે પરિવાર સાથે ભોજન કરવાથી તણાવ દૂર થાય છે.

વાસ્તવમાં, વેકફિલ્ડ રિસર્ચ દ્વારા 1,000 અમેરિકન વયસ્કો પર હેલ્ધી ફોર ગુડ મૂવમેન્ટ અંતર્ગત એક સરવે કરાયો. જે મુજબ 84 ટકા લોકો પ્રિયજનો સાથે મહત્તમ સમય ભોજન કરવા ઇચ્છુક છે, કારણ કે સરેરાશ વયસ્કો લગભગ અડધો સમય એકલા જ ભોજન કરે છે.

ત્રણમાંથી બે લોકોના મતે કેટલાક અંશે તણાવગ્રસ્ત છે અને 27 ટકા વધુ તણાવગ્રસ્ત છે. સંશોધકો અનુસાર સતત તણાવથી હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો વધે છે. જોન્સ હોપકિન્સમાં કાર્ડિયોલોજીમાં સહયોગી ડાયરેક્ટર, અમેરિકન હાર્ટ એસોસિયેશનના પ્રો. એમએચએસ એરિન મિચોસે કહ્યું કે અન્ય સાથે ભોજનથી તણાવ ઘટે છે. આત્મસન્માન વધે છે.

ખાસ કરીને બાળકો માટે સામાજિક સંબંધોમાં સુધારા માટે આ શ્રેષ્ઠ રીત છે. તેનાથી પરિવાર, મિત્રો, સહકર્મીઓ અને પાડોશીઓ સાથેના સંબંધનું મહત્ત્વ સમજાય છે. 54 ટકા લોકોના મતે સાથે ભોજનથી તેઓને કામ દરમિયાન બ્રેક લેવાની યાદ અપાવે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow