દેશમાં આ વર્ષે 90% કર્મચારીઓને પગાર વધારાની અપેક્ષા

દેશમાં આ વર્ષે 90% કર્મચારીઓને પગાર વધારાની અપેક્ષા

આ વર્ષે પગારવધારાને લઇને કર્મચારીઓની અપેક્ષા આસમાને જોવા મળી રહી છે. સરવેમાં સામેલ 90 ટકા કર્મચારીઓ આ વર્ષે પગારવધારાનો આશાવાદ ધરાવે છે. દેશમાં, 90 ટકા કર્મચારીઓ પગારવધારાની આશા રાખે છે અને તેમાંથી અંદાજે 20 ટકા કર્મચારીઓએ પગારમાં 4-6 ટકા વધારાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જ્યારે 19 ટકા કર્મચારીઓને પગારમાં 10-12 ટકાની વૃદ્ધિની આશા છે.

દેશમાં 78 ટકા કર્મચારીઓને ગત વર્ષે પગારવધારો મળ્યો હતો અને પગારવધારાનો દર સરેરાશ 4-6 ટકાની વચ્ચે હતો. આ વર્ષે, દેશમાં જો પગાર વધારો ન પણ કરવામાં આવે તો અંદાજે 65 ટકા કર્મચારીઓ કેટલાક પ્રકારના મેરિટ બોનસ, પેઇડ હોલિડે જેવા ફાયદાઓ મળી શકે છે.

ગત વર્ષે દર 10માંથી 6 એટલે કે 62 ટકા કર્મચારીઓના પગારવધારા બાદ આ વર્ષે વધુને વધુ કર્મચારીઓ પગારવધારાની આશા રાખી રહ્યાં છે. કર્મચારીઓને અત્યારની નોકરીમાં ઇન્ક્રિમેન્ટ મળશે તેવી આશા છે અને જો નહીં મળે તો તેઓને નવી નોકરી પણ મળી રહેશે તેવો વિશ્વાસ પણ ધરાવે છે. આ વર્ષે નોકરીદાતાઓ જો પગારવધારો કરવા માટે સક્ષમ ન હોય તો કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખવા માટે ફાયદો આપવા માટે અન્ય રસ્તો શોધવો પડશે.

Read more

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર

By Gujaratnow
રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય એમ દર બે-ત્રણ દિવસે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવે છે. આજે(19 જુલાઈ) વધુ

By Gujaratnow