2014-15માં 86.65 હજાર રૂપિયા હતી, જે હવે 1.72 લાખ રૂપિયા છે

2014-15માં 86.65 હજાર રૂપિયા હતી, જે હવે 1.72 લાખ રૂપિયા છે

નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા પછી (2014-15) ભારતની માથાદીઠ આવક(પર કેપિટા ઈનકમ) વધીને બમણી થઈ છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી(NSO) અનુસાર, 2014-15માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર બની હતી ત્યારે ભારતની પ્રતિ વ્યક્તિ આવક 86,648 રૂપિયા વાર્ષિક હતી. જે 2022-23માં બમણી થઈને 1,72,000 રૂપિયા થઈ ગઈ છે. જોકે આવું થવામાં 8 વર્ષ જેટલો સમય લાગ્યો છે.

કોરોનાકાળમાં આવક ઘટી
NSO અનુસાર હાલની કિંમત પર માથાદીઠ વાર્ષિક આવક વર્ષ 2022-23માં 1,72,000 રૂપિયા થવાનું અનુમાન છે. NSO દ્રારા બહાર પાડેલા આંકડા અનુસાર, કોરોના દરમિયાન પ્રતિ વ્યક્તિ આવકમાં ઘટાડો આવ્યો. જોકે પાછળથી સુધરી અને 2021-22 અને 2022-23માં તેજી જોવા મળી.

માથાદીઠ આવક શું છે?
તે દેશમાં રહેતા લોકોની સરેરાશ આવક છે. આની ગણતરી કરવા માટે, આપણે તે દેશના જીડીપીને તેની કુલ વસ્તી દ્વારા વિભાજીત કરીએ છીએ. આ પછી જે આંકડો બહાર આવે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow