રાજકોટ જિલ્લામાં 320 કેન્દ્રો પર 84 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ જિલ્લામાં 320 કેન્દ્રો પર 84 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ જિલ્લામાં યોજાનારી માર્ચ-2023ની SS.C. અને H.S.C. પરીક્ષાના સફળ સંચાલન માટે આજે રાજ્યના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, બોર્ડના અધિકારીઓ ડીઈઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા અંગે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોર, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

320 જેટલા સેન્ટર છે
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે જિલ્લામાં 320 જેટલા સેન્ટર છે, જે પૈકી 2916 બ્લોક છે અને 84 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. 9 સંવેદનશીલ કેન્દ્રો છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પી.જી.વી.સી.એલ. દ્વારા પાવર મેનેજમેન્ટ, એસ.ટી વિભાગ દ્વારા વાહન વ્યવસ્થા, પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.ગરમીના દિવસો હોવાના કારણે તમામ સ્કુલો ખાતે પાણીની અને વિદ્યાર્થીઓને પ્રિ-એક્ઝામ અને પોસ્ટ-એક્ઝામ સ્ટ્રેસ કાઉન્સેલીંગની વ્યવસ્થા કરવા સહિતની તમામ સુચનાઓ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.

સ્કૂલ નિર્ધારીત કરવામાં આવી
એસ.એસ.સી પરીક્ષાની 01 ઝોનની ઝોનલ કચેરી – જી. ટી. ગર્લ્સ હાઈસ્કૂલ,રાજકોટ અને ૦૨ ઝોનની ઝોનલ કચેરી – બાઈ સાહેબબા ગર્લ્સ હાઈ.,રાજકોટ તથા ૦૧ ઝોનની ઝોનલ કચેરી - ભગવતિસંહજી હાઈસ્કૂલ, ધોરાજી અને 01 ઝોનનો ઝોનલ કચેરી – મોડેલ સ્કુલ, જસદણ ખાતે નિર્ધારીત કરવામાં આવી છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow