કંપનીમાં 800 જગ્યા ખાલી, પૂર્વ કર્મચારીઓ પણ કરી શકે છે અરજી

કંપનીમાં 800 જગ્યા ખાલી, પૂર્વ કર્મચારીઓ પણ કરી શકે છે અરજી

ફૂડ ડિલિવરી પ્લેટર્ફોમ ઝોમેટોએ( Zomato) છટણી બાદ હવે ભરતીનું કામ શરૂ કર્યું છે. આ વાતની જાણકારી કંપનીના કો-ફાઉન્ડર અને CEO દીપિંદર ગોયલે લિંક્ડઇન પર પોસ્ટ જાતે શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે કંપનીમાં 800 જગ્યાઓ ખાલી છે, અને જે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેઓ પણ તેના માટે અરજી કરી શકે છે.  

દીપિંદર ગોયલે લિંક્ડઇન પોસ્ટમાં લખ્યું કે, ‘બધાને નમસ્કાર અમારી પાસે ઝોમેટોમાં 5 પદોમાં 800 જેટલી જગ્યાઓ ખાલી છે. જો તમે આમાના કોઈપણ પદ માટે કોઈ સારી વ્યક્તિને જાણો છો, તો કૃપા કરીને તેમને આ થ્રેડમાં ટેગ કરો.’  

ટીમ શક્ય તેટલી વહેલી તકે સંભવિત ઉમેદવારો સુધી પહોંચશે
દીપિંદર ગોયલે બધાને આશ્ર્વાસન પણ આપ્યું કે, તેમની ટીમ શક્ય તેટલી વહેલી તકે સંભવિત ઉમેદવારો સુધી પહોંચશે. તેમણે લખ્યું, આમાંથી કોઇપણ પદ માટે વધુમાં જાણવા અને રસ દર્શાવવા માટે કૃપ્યા મને  

deepinder@zomato.com પર ઇ-મેઇલ કરો- હું અથવા મારી ટીમ તમને તરત જવાબ આપશે. ઝોમેટોમાં જે 5 પદો માટે જગ્યા ખાલી છે, તેમાં, ગ્રોથ મેનેજર્સ, પ્રોડકટ્ ઓનર, ચીફ ઓફ સ્ટાફ ટૂ CEO, જેનેરાલિસ્ટ અને સોફટ્વેર ડેવલપમેન્ટ એન્જિનિયરનો સમાવેશ થાય છે.  

ઝોમેટોએ તેના 4% કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.
તમને જણાવી દઇએ કે ઝોમેટોના કો-ફાઉન્ડર અને ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) ગુંજન પાટીદારે કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. ગુંજનની પહેલા કંપનીના ત્રણ ટોપ લેવલના કર્મચારીઓએ પણ રાજીનામું આપ્યું હતું. ઝોમેટોના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તા, નવા ઇનીશિએટિવ હેડ રાહુલ ગંજૂ અને ઇન્ટરસિટી હેડ સિદ્ધાર્થ જેવરે સીનિયર લેવલ મેનેજમેન્ટ પર સ્થિરતાની ચિંતાઓને જોતાં રાજીનામું આપ્યું હતું.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow