ઓફિસના કામ દરમિયાન થયેલી મિત્રતાના ફાયદા પર 80 વર્ષ સુધી સંશોધન

ઓફિસના કામ દરમિયાન થયેલી મિત્રતાના ફાયદા પર 80 વર્ષ સુધી સંશોધન

દુનિયાભરમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધી રહ્યો છે પરંતુ ઓફિસમાં સહકર્મીઓ સાથેની મિત્રતાથી જીવન ખુશહાલ વીતે છે. વાસ્તવમાં, હાર્વર્ડ સ્ટડી ઑફ એડલ્ટ ડેવલપમેન્ટના ડિરેક્ટર સાઇકિયાટ્રિસ્ટ રોબર્ટ વાલ્ડિંગર અને સાઇકોલોજિસ્ટ માર્ક શુલ્ઝે એક પુસ્તકમાં ઓફિસમાં કામ કરવા દરમિયાન થયેલી મિત્રતાના ફાયદા જણાવ્યા છે.

પોતાનાં 80 વર્ષના રિસર્ચને પુસ્તકમાં તબદીલ કર્યું છે. પુસ્તકનું નામ ‘ધ ગુડ લાઇફ:લેસન ફ્રોમ ધ વર્લ્ડ લોંગેસ્ટ સાયન્ટિફિક સ્ટડી ઑફ હેપિનેસ’ છે. તેમાં તેમણે જણાવ્યું કે એ લોકો પોતાના જીવનથી વધુ ખુશ હતા, જેમના પોતાના સહકર્મીઓ સાથે સારા સંબંધ હતા. આવા લોકો ભલે કારકિર્દીમાં પોતાનું સપનું પૂરું કરી ન શકે પરંતુ તેઓ નાપસંદ કરનારા સહકર્મીઓની સાથે કામ કરતા લોકો સાથે વધુ ખુશ હતા. વાસ્તવમાં, આપણે આપણો વધુ સમય સહકર્મીઓ સાથે વિતાવીએ છીએ. માટે જ તેમનું વર્તન આપણી ખુશી નક્કી કરે છે. સૌથી ખુશ વ્યક્તિ લિયો લેખક ન બની શક્યા, પરંતુ તેઓ એક શિક્ષક બનીને ખુશહાલ જીવન જીવતા હતા. કારણ કે તે બાળકો અને શિક્ષકોની વચ્ચે રહે છે.

તેમણે અનેક પ્રમોશન ફગાવ્યાં હતાં. એક અન્ય ઉદાહરણ હેનરી અને રોસા દંપતીનું છે જેમને પોતાનું કામ પસંદ ન હતું. તેઓએ પોતાના સહકર્મીઓને ઘરે લંચ લેવા માટે બોલાવવાનું શરૂ કર્યું હતું કારણ કે દંપતીની તેમની સાથે સારી મિત્રતા થઇ હતી. તેઓ જેટલા ખુશ હતા તે અન્ય અમીર રિસર્ચ સહભાગીઓ કરતાં વધુ હતું.

80 વર્ષની ઉંમરમાં વર્ક લાઇફ બેલેન્સ પર અફસોસ થાય છે
રિસર્ચ અનુસાર વર્ક લાઇફ બેલેન્સ યોગ્ય ન હોવાથી નિવૃત્ત થયા બાદ 80-90 વર્ષની ઉંમરમાં અફસોસ થાય છે. માઇકલ જેઓ પહેલા કામને જ પોતાના જીવનનું લક્ષ્ય માનતા હતા. હવે તેઓ ઘરે વધુ સમય ન વિતાવી શકતા હોવાથી અફસોસ કરે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow