8 મોટા શહેરમાં સપ્ટે. ક્વાર્ટરમાં મિલકતોની કિંમતમાં 6%નો વધારો

8 મોટા શહેરમાં સપ્ટે. ક્વાર્ટરમાં મિલકતોની કિંમતમાં 6%નો વધારો

દેશના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આઠ મોટા શહેરોમાં જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6% ટકાનો વધારો થયો છે. દિલ્હી-NCR, મુંબઇ-MMR, કોલકાતા, પુણે, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગ્લુરુ અને અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. સૌથી વધુ દિલ્હી-એનસીઆરમાં મિલકતોની કિંમતમાં 14 ટકા તેજી છે.

ક્રેડાઇ-કોલિયર્સ-લિયાસેસ ફોરાસના હાઉસિંગ પ્રાઇઝ ટ્રેકર રિપોર્ટ-2022 અનુસાર વ્યાજદરોમાં વૃદ્વિ તેમજ ઇનપુટ ખર્ચમાં વધારા છતાં આ વર્ષના પ્રારંભથી જ ડેવલપર્સે હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગમાં વધારો કર્યો છે. આ વચ્ચે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ન વેચાયેલા મકાનોની સંખ્યા વાર્ષિક સ્તરે 3 ટકા વધી હતી.

છેલ્લા કેટલાક મહિનામાં લોન્ચિંગમાં તેજીને કારણે દેશભરમાં લગભગ 94% મકાન અંડર કંસ્ટ્રક્શન હતા. મોટા ભાગના શહેરોમાં વેચાયેલા વગરના મકાનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બેંગ્લુરુમાં સૌથી વધુ 14% મિલકતો વેચાયા વગરની હતી. માત્ર હૈદરાબાદ, એમએમઆર તેમજ અમદાવાદમાં વેચાયેલા વગરના મકાનોની સંખ્યા વધી છે. MMR વેચાયેલા વગરના મકાનોની સંખ્યા મામલે 37 ટકા સાથે ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ 13-13 ટકાના માર્કેટ શેર સાથે NCR અને પુણે બીજા સ્થાન પર છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow