74મો ગણતંત્ર દિવસ

74મો ગણતંત્ર દિવસ

આજે 74મો ગણતંત્ર દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવશે. આ સાથે સવારે 10:30 વાગ્યાથી પ્રજાસત્તાક દિવસની પરેડ અને ટેબ્લો કાર્યક્રમ શરૂ થશે. ઈજીપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. પરેડમાં રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની કુલ 27 ઝાંખીઓ બહાર કાઢવામાં આવશે. જેમાંથી 23 સાંસ્કૃતિક હશે. આ બધા દરમિયાન, એવી 7 વિશેષતાઓ છે જે પહેલીવાર જોવા મળશે.

ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રગીત દરમિયાન 21 તોપોની સલામી આપવાની પરંપરા છે. અત્યાર સુધી આ સલામી બ્રિટનમાં બનેલી 25 પાઉન્ડરની તોપોથી આપવામાં આવતી હતી, જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. હવે તેના સ્થાને ભારતમાં બનેલી 105MM ઇન્ડિયન ફિલ્ડ ગન દ્વારા સલામી આપવામાં આવશે. આ તોપો જબલપુર અને કાનપુરની ગન ફેક્ટરીમાં બનાવવામાં આવી હતી.

તેને 1972 માં ડિઝાઇન કરવામાં આવી હતી અને 1984થી સેવામાં કાર્યરત છે. દિલ્હી વિસ્તારના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભાવનીશ કુમારે કહ્યું કે દેશમાં 105MM તોપો બને છે, તેથી અમે તેનાથી સલામી આપવા માંગીએ છીએ. તે અમારા માટે ગર્વની વાત છે, અમે એટલા માટે સ્વદેશી તોપનો ઉપયોગ કરીશું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow