74મો ગણતંત્ર દિવસ

74મો ગણતંત્ર દિવસ

આજે 74મો ગણતંત્ર દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર ત્રિરંગો ફરકાવશે. આ સાથે સવારે 10:30 વાગ્યાથી પ્રજાસત્તાક દિવસની પરેડ અને ટેબ્લો કાર્યક્રમ શરૂ થશે. ઈજીપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. પરેડમાં રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની કુલ 27 ઝાંખીઓ બહાર કાઢવામાં આવશે. જેમાંથી 23 સાંસ્કૃતિક હશે. આ બધા દરમિયાન, એવી 7 વિશેષતાઓ છે જે પહેલીવાર જોવા મળશે.

ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રગીત દરમિયાન 21 તોપોની સલામી આપવાની પરંપરા છે. અત્યાર સુધી આ સલામી બ્રિટનમાં બનેલી 25 પાઉન્ડરની તોપોથી આપવામાં આવતી હતી, જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. હવે તેના સ્થાને ભારતમાં બનેલી 105MM ઇન્ડિયન ફિલ્ડ ગન દ્વારા સલામી આપવામાં આવશે. આ તોપો જબલપુર અને કાનપુરની ગન ફેક્ટરીમાં બનાવવામાં આવી હતી.

તેને 1972 માં ડિઝાઇન કરવામાં આવી હતી અને 1984થી સેવામાં કાર્યરત છે. દિલ્હી વિસ્તારના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભાવનીશ કુમારે કહ્યું કે દેશમાં 105MM તોપો બને છે, તેથી અમે તેનાથી સલામી આપવા માંગીએ છીએ. તે અમારા માટે ગર્વની વાત છે, અમે એટલા માટે સ્વદેશી તોપનો ઉપયોગ કરીશું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow