રાજકોટમાં કામનાથ મહાદેવના 74મા પાટોત્સવની કાલે ઉજવણી, ભવ્ય વરણાગી નીકળશે

રાજકોટમાં કામનાથ મહાદેવના 74મા પાટોત્સવની કાલે ઉજવણી, ભવ્ય વરણાગી નીકળશે

રાજકોટમાં રૈયાનાકા રોડ પર સ્થિત કામનાથ મહાદેવ મંદિરના 74મા પાટોત્સવની શનિવારે ઉજવણી થશે. આ તકે ભવ્ય વરણાગી પણ નીકળશે. જે બપોરે 2.30 કલાકે મંદિરેથી નીકળશે અને પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રામાયણ પાઠશાળા, આશાપુરા રોડ, કોઠારિયા નાકા, દરબારગઢ રોડ થઈ મંદિરે પરત ફરશે અને ત્યાં પૂર્ણ થશે. ફુલેકા દરમિયાન જામખંભાળિયાની પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ તેમજ સૌરાષ્ટ્રભરના વિવિધ સ્થળેથી આવેલી રાસમંડળીઓ પણ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. પાટોત્સવ અંતર્ગત પ્રાત: કાળથી ભગવાન કામનાથ મહાદેવનું ષોડશોપચારથી પૂજન કરવામાં આવશે. જે મધ્યાહ્ને સંપન્ન થશે. ત્યારબાદ વરણાગી નીકળશે. જે રાત્રે નિજ મંદિરે પરત ફરશે. આ તકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow