રાજકોટમાં કામનાથ મહાદેવના 74મા પાટોત્સવની કાલે ઉજવણી, ભવ્ય વરણાગી નીકળશે

રાજકોટમાં કામનાથ મહાદેવના 74મા પાટોત્સવની કાલે ઉજવણી, ભવ્ય વરણાગી નીકળશે

રાજકોટમાં રૈયાનાકા રોડ પર સ્થિત કામનાથ મહાદેવ મંદિરના 74મા પાટોત્સવની શનિવારે ઉજવણી થશે. આ તકે ભવ્ય વરણાગી પણ નીકળશે. જે બપોરે 2.30 કલાકે મંદિરેથી નીકળશે અને પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રામાયણ પાઠશાળા, આશાપુરા રોડ, કોઠારિયા નાકા, દરબારગઢ રોડ થઈ મંદિરે પરત ફરશે અને ત્યાં પૂર્ણ થશે. ફુલેકા દરમિયાન જામખંભાળિયાની પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ તેમજ સૌરાષ્ટ્રભરના વિવિધ સ્થળેથી આવેલી રાસમંડળીઓ પણ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. પાટોત્સવ અંતર્ગત પ્રાત: કાળથી ભગવાન કામનાથ મહાદેવનું ષોડશોપચારથી પૂજન કરવામાં આવશે. જે મધ્યાહ્ને સંપન્ન થશે. ત્યારબાદ વરણાગી નીકળશે. જે રાત્રે નિજ મંદિરે પરત ફરશે. આ તકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow