રાજકોટમાં કામનાથ મહાદેવના 74મા પાટોત્સવની કાલે ઉજવણી, ભવ્ય વરણાગી નીકળશે

રાજકોટમાં કામનાથ મહાદેવના 74મા પાટોત્સવની કાલે ઉજવણી, ભવ્ય વરણાગી નીકળશે

રાજકોટમાં રૈયાનાકા રોડ પર સ્થિત કામનાથ મહાદેવ મંદિરના 74મા પાટોત્સવની શનિવારે ઉજવણી થશે. આ તકે ભવ્ય વરણાગી પણ નીકળશે. જે બપોરે 2.30 કલાકે મંદિરેથી નીકળશે અને પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રામાયણ પાઠશાળા, આશાપુરા રોડ, કોઠારિયા નાકા, દરબારગઢ રોડ થઈ મંદિરે પરત ફરશે અને ત્યાં પૂર્ણ થશે. ફુલેકા દરમિયાન જામખંભાળિયાની પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ તેમજ સૌરાષ્ટ્રભરના વિવિધ સ્થળેથી આવેલી રાસમંડળીઓ પણ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. પાટોત્સવ અંતર્ગત પ્રાત: કાળથી ભગવાન કામનાથ મહાદેવનું ષોડશોપચારથી પૂજન કરવામાં આવશે. જે મધ્યાહ્ને સંપન્ન થશે. ત્યારબાદ વરણાગી નીકળશે. જે રાત્રે નિજ મંદિરે પરત ફરશે. આ તકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow