મોરબી હોનારતમાં માતા-પિતાને ગુમાવનાર બાળકીની મદદે આવી અમદાવાદની 74 શાળાઓ, લાખો રૂપિયાની કરી સહાય

મોરબી હોનારતમાં માતા-પિતાને ગુમાવનાર બાળકીની મદદે આવી અમદાવાદની 74 શાળાઓ, લાખો રૂપિયાની કરી સહાય

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર રાજ્ય સહિત દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. જેમા કેટલાય બાળકોએ માતા-પિતા અથવા બંનેમાંથી એકને ગુમાવ્યા છે. ત્યારે માતા-પિતા ગુમાવનાર બાળકોને મદદ કરવા માટે અનેક સંસ્થાઓ તેમજ સ્કૂલો આગળ આવી છે.

જીલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોને કરી હતી અપીલ
આ ગોઝારી ઘટનામાં અમદાવાદ શહેરની 4 વર્ષની બાળકીએ માતા પિતા ગુમાવ્યા હતાં. ત્યારે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને સહાય કરવા માટે અપીલ કરી હતી. જેમાં અમદાવાદની 74 સ્કૂલોએ રૂ.3.13 લાખની સહાય બાળકીને કરી છે.  આ દુર્ઘટનામાં કેટલાય બાળકોએ તેમના માતા-પિતા અથવા બે માંથી કોઈ એક વ્યક્તિ ગુમાવ્યા છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા પણ ભૂલકાઓને મદદ કરવામાં આવી
મોરબીમાં તા.10 નવેમ્બરના રોજ મોરબી પુલ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 135 લોકોએ જીમ ગુમાવ્યા હતા. આ ગોઝારી ઘટનામાં 20 ભૂલકાઓએ માતા-પિતા અથવા બે માંથી એક વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ બાળકોની મદદ કરવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂ.5 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

અદાણી ફાઉન્ડેશને મોરબી જીલ્લા વહીવટી તંત્ર સાથે પણ ચર્ચા કરી
આ ગોઝારી દુર્ઘટનામાં 7 બાળકોએ તેમના માતા અને પિતા બંનેને ગુમાવ્યા છે. જ્યારે 12 બાળકોએ બંનેમાંથી કોઈ એક વ્યક્તિને ગુમાવ્યા છે. આ બાળકોની વ્હારે અદાણી ફાઉન્ડેશને મોરબી જીલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની દુર્ઘટનામાં પતિને ગુમાવનાર સગર્ભા મહિલાના બાળક માટે પણ રૂ.25 લાખની ફીક્સ ઉભી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow