ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 70 હજાર ગુણી ડુંગળીની આવક નોંધાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 70 હજાર ગુણી ડુંગળીની આવક નોંધાઈ

ગુજરાતનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે. જેમાં અંદાજે 70 હજાર કરતા વધુ ડુંગળીની ગુણીની આવક નોંધાઈ હતી અને યાર્ડના મુખ્ય ગેઈટથી બંને બાજુ 3 થી 4 કીમી સુધીની લાંબી કતારોમાં અંદાજે 1000 થી 1200 વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. હરરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100 થી 250 સુધીના બોલાયા હતા. બીજી તરફ ખેડૂતોને પૂરતા ભાવો ના મળતા પણ ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો હતો.  

ખેડૂતોની વિવિધ જણસીના મોટા જથ્થામાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આજરોજ 70 હજાર ગુણી ડુંગળીની આવક નોંધાઈ છે. સામે તેટલા જ માલનો નિકાલો કરવામાં આવે છે.

બે દિવસ પૂર્વે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ઐતિહાસિક આવક 1.50 લાખ ગુણીની નોંધપાત્ર આવક થવા પામી હતી. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે. ખાસ કરીને બીજી અનેક સુવિધાઓ ગોંડલ યાર્ડમાં મળી રહે છે. તે માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરે છે. ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુસ્કળ આવક જોવા મળી છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહીતના વિવિધ રાજ્યો ના વ્યાપારીઓ આ માલ ની ખરીદી કરવા પહોંચ્યા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow