Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

કરાચી એક્સપ્રેસના ડબ્બામાં 4 બાળકો સહિત 7 લોકોના મોત

Gujaratnow1 min read
કરાચી એક્સપ્રેસના ડબ્બામાં 4 બાળકો સહિત 7 લોકોના મોત

પાકિસ્તાનમાં ગુરુવારે વહેલી સવારે કરાચી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ ફાટી નીકળી . જેમાં 4 બાળકો સહિત 7 લોકો સળગી જતા મોત નીપજ્યાં છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેમાંથી કેટલાકની હાલત ખુબજ ગંભીર છે. મૃત્યુઆંક વધી શકે છે. પાકિસ્તાન રેલવેના એક અધિકારીએ કહ્યું- હાલ 7 લોકોનાં મોત થયા છે. ઘાયલોને તમામ શક્ય સારવાર અને મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

પાકિસ્તાનની વેબસાઈટ 'ધ ડોન' અનુસાર, ટ્રેનમાં આગ લાગવાની ઘટના સિંધ પ્રાંતના ખૈરપુર જિલ્લાના તાંડો ખાન વિસ્તારમાં બની હતી. તે સમયે મોટાભાગના મુસાફરો સૂતા હતા. પાકિસ્તાન રેલવે અધિકારી મોહસીન સિયાલે આ વાતની પુષ્ટિ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર 6 મૃતદેહો એવા છે જેની ઓળખ કરવી મુશ્કેલ છે. પહેલા તેમનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આ પછી તેમને પરિવારને સોંપવામાં આવશે. ઘાયલોને ખૈરપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Gujaratnow1 min read

Related News