દિલ્હીથી સિડની જઈ રહેલા 7 મુસાફરો સીટમાં જ ઉછળતાં ઘાયલ

દિલ્હીથી સિડની જઈ રહેલા 7 મુસાફરો સીટમાં જ ઉછળતાં ઘાયલ

દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ મંગળવારે અચાનક જ હવામાં ઝટકા ખાવા લાગી. આ દરમિયાન 7 મુસાફરો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એર ઈન્ડિયાના B787-800 એરક્રાફ્ટ VT-ANY AI-302 ફ્લાઈટ મંગળવારે દિલ્હીથી રવાના થઈ હતી. સિડની નજીક પહોંચતા સમયે ખરાબ હવામાનને કારણે પ્લેનને આંચકા લાગવા લાગ્યા હતા.

ક્રૂએ અકસ્માત દરમિયાન ગભરાયેલા અને ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર આપી હતી. આ દરમિયાન મુસાફરો તરીકે મુસાફરી કરી રહેલા ડૉક્ટર અને નર્સે પણ ઘાયલોને મદદ કરી હતી. સિડની એરપોર્ટ પર ઉતર્યા બાદ 3 મુસાફરોને તબીબી સારવાર મળી હતી. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.

ડીજીસીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિડની એરપોર્ટ પર 7 ઘાયલ મુસાફરોની સારવાર કરવામાં આવી હતી. જો કે, કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. હજુ સુધી આ ઘટના પર એર ઈન્ડિયા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow