24-45 વર્ષની વયજૂથના 65% રોકાણકારો શેરમાર્કેટમાં મળતા વાસ્તવિક રિટર્નથી અજાણ

24-45 વર્ષની વયજૂથના 65% રોકાણકારો શેરમાર્કેટમાં મળતા વાસ્તવિક રિટર્નથી અજાણ

શેરમાર્કેટમાં રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યા અઢી વર્ષમાં અઢી ગણી વધીને 10 કરોડ પર પહોંચી ચૂકી છે. પરંતુ 24-45 વર્ષના 65% રોકાણકારો શેરમાર્કેટ મારફતે થતી વાસ્તવમાં કમાણી અંગે અજાણ છે. 67% રોકાણકારો રિટર્નના મામલે બેન્ચમાર્ક નિફ્ટીને માત આપવામાં નિષ્ફળ નિવડ્યા છે.

રિસર્ચ કંપની નીલસનના એક રિપોર્ટ અનુસાર, માત્ર કેટલાક ભારતીય રોકાણકારો જ જાણે છે કે તેઓને રિટર્નને મામલે નિફ્ટી અથવા સેન્સેક્સને માત આપવાની જરૂર હોય છે. અડધાથી વધુ રોકાણકારો વધુ રિટર્ન માટે શું કરી શકાય તેનું જ્ઞાન પણ ધરાવતા નથી. બ્રોકરેજ કંપની સેમકો સિક્યોરિટીઝે નીલસન માટે આ સરવે કર્યો છે. આ સરવેમાં 24-45 વર્ષની ઉંમરના 2,000 રોકાણકારોને આવરી લેવાયા હતા.

રોકાણકારો એફડીના રિટર્ન પર નજર રાખે છે. પરંતુ જો તમે વધુ જોખમ ઉઠાવીને શેરમાર્કેટમાં રોકાણ કરો છો તો તમને તેનાથી વધુ કમાણી પણ થવી જોઇએ. અમારું માનવું છે કે રોકાણકારોને બેન્ચમાર્ક ઇન્ડેક્સ મારફતે ઓછામાં ઓછું 5%થી વધુ રિટર્ન મળે તેવો પ્રયાસ કરવો જોઇએ તેવું સેમકો સિક્યોરિટીઝના સ્થાપક જિમિત મોદીએ જણાવ્યું હતું. ફેબ્રુઆરીના અંતમાં મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ રોકડ હોલ્ડિંગ વધીને 6.2% થઈ ગયું છે. ફંડ હાઉસની ઇક્વિટી સ્કીમ્સમાં સરેરાશ કેશ હોલ્ડિંગ 3.2% હતી.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow